ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યો છે. ત્યારે રાજ્યમાં સતત સતત કોરોના કેસમાં મોટો વધારો નોધાઇ રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસ વધતા રાજ્યના ઘણા યાત્રા ધામોમાં દર્શન અને અન્ય કાર્યક્રમો બંધ કરવામાં આવ્યા છે. બીજી લહેરનો કોરોના વધારે ઘાતક અને જીવલેણ સાબિત થઈ રહ્યો છે. તેવામાં કોરોના સંક્રમણ વચ્ચે આજથી ચૈત્રિ નવરાત્રિનો પ્રારંભ થયો છે. જેને કારણે સુપ્રસિદ્ધ ચોટીલા મંદિર, જલારામ મંદિર,ડાકોર મંદિરમાં ભક્તો માટે દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. કોરોના સંક્રમણ ન ફેલાઈ તે માટે આ નિયમ લેવામાં આવ્યો છે.
વધતા જતા સંક્રમણને ધ્યાનમાં લઈને સુરેન્દ્રનગરનું ચોટીલા મંદિર કાલથી બંધરહેશે.14 એપ્રિલથી 30 અપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે દર્શન બંધ રહેશે.
આ ઉપરાંત સાબરકાંઠા ખેડબ્રહ્મા મંદિર કાલથી બંધ રહેશે.ત્યાં પૂજા,આરતી, બંધ બારણે કરાશે.30 એપ્રિલ સુધી બંધ રહશે.આજ સાંજ સુધી 30 એપ્રિલ સુધી બંધ રહેશે
વધતા જતા સંક્રમણ ને લઈને ડાકોર મંદિર પણ ભકતો માટે બંધ કરવામાં આવ્યું છે જે અંગે નો મહત્વનો નિર્ણય ડાકોર ટેમ્પલ સમિતિ એ નિર્ણય કર્યો છે .જેમાં ફક્ત બંધ બારણે જ ઠાકોરજીની સેવા પૂજા કરવામાં આવશે.ભક્તો માટે પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. અચોક્કસ મુદત સુધી મંદિર બંધ રખાશે
કોરોનાનું સંક્રમણ વધતા રાજકોટમાં ધટેસ્વરમાંઆવેલું જલારામ મંદિર 30 એપ્રિલ સુધી બંધ રહેશે.આ ઉપરાંત વીરપુરના જલારામ મંદિરમાં પ્રસાદધર બંધ રહેશે.