Jammu and Kashmir: દક્ષિણ કાશ્મીરના કુલગામમાં સોમવાર રાતથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં ગઈકાલે સુરક્ષા દળોએ વધુ એક આતંકવાદીને ઠાર માર્યો હતો. આ સાથે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા વધીને ત્રણ થઈ ગઈ છે. હાલ માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ થઈ શકી નથી.
આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) ના સ્વ-ઘોષિત કમાન્ડર બાસિત ડાર અને અન્ય આતંકવાદી ફહીમ અહેમદ બાબા માર્યા ગયા હતા. એન્કાઉન્ટર દરમિયાન જે મકાનમાં છુપાયો હતો તેને પણ નુકસાન થયું હતું. બાસિત 10 લાખ રૂપિયાનું ઈનામ ધરાવતો આતંકવાદી હતો અને ટાર્ગેટ કિલિંગની 18 ઘટનાઓમાં વોન્ટેડ હતો.
અધિકારીઓના મુજબ સોમવારે બાસિત ડાર અને તેના બે સહયોગીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી અને ત્યારથી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. મંગળવારે બપોરે, આતંકવાદીઓ તરફથી ગોળીબાર બંધ થયા પછી અને તેમના ઠેકાણાને નષ્ટ કર્યા પછી, સુરક્ષા દળોએ બે આતંકવાદીઓના મૃતદેહ બહાર કાઢ્યા.
આતંકવાદીઓના ક્ષતિગ્રસ્ત ઠેકાણા અને તેની આસપાસના ઘરોની ઘેરાબંધી ચાલુ રાખીને બુધવારે સવારથી જ શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને એક જગ્યાએ છુપાયેલા આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. સૈનિકોએ પણ પોતાની જાતને બચાવી લીધી અને જવાબી કાર્યવાહીમાં તેને મારી નાખ્યો. તે જ સમયે, સેના આતંકવાદીઓની શોધમાં જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
આ પણ વાંચો:વૃદ્ધ સાસુ સાથે રહેવા ના પડતા, હાઈકોર્ટે છૂટાછેડાનો આપ્યો આદેશ
આ પણ વાંચો:સાત દિવસ પત્ની અને સાત દિવસ પ્રેમિકા સાથે ગુજારવાનો વાયદો