Morbi News : મોરબીમાં તળાવમાં ન્હાવા માટે ગયેલા ત્રણ બાળકો ડૂબી જતા આ વિસ્તારમાં શોકની લાગમી ફેલાઈ ગઈ છે.
મોરબીના માળીયા મીયાણા ખાતે આવેલા વર્ષામેડી ગામમાં આ કરૂણ બનાવ બન્યો હતો. જેમાં અસહ્ય ગરમીને કારણે ત્રણ બાળકો ન્હાવા માટે નજીકમાં આવેલા તળાવમાં ન્હાવા માટે ગયા હતા. પરંતુ ઉંડા પાણીમાં ત્રણેય બાળકો ડૂબી જતા તેમના મોત નીપજ્યા હતા.
મૃતક બાળકોમાં 10 વર્ષના મહેશ ભૂપતભાઈ મ્હાલીયા, આઠ વર્ષના શૈલેષ અમરશીભાઈ ચાવડા અને 12 વર્ષના ગોપાલ કાનજીભાઈ ચાવડાનો સમાવેશ થાય છે.
માસુમ બાળકોના મોતને પગલે ત્રણેય બાળકોના પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
આ પણ વાંચો:અભિનેત્રી યામી ગૌતમના ઘરે કિલકારીઓ ગૂંજી! બેબી બોયના નામનો આ છે અર્થ…
આ પણ વાંચો:ધર્મેન્દ્રને પાપારાઝી પર કેમ આવ્યો ગુસ્સો, મતદાન દરમ્યાન અભિનેતા સાથે એવું શું બન્યું
આ પણ વાંચો:કોણ છે નેન્સી ત્યાગી? જેની કાન્સમાં સતત ચર્ચાઓ થઈ રહી છે…