વડોદરા શહેરના મકરપુરા પોલીસ મથકની હદમાં જાંબુઆ બ્રિજ પર છાશવારે અકસ્માતો થતાં હોય છે. જેમાં આજે મૂળ મુઝાર ગામડીના રહેવાસી નઝીર ભલાવત અને તેઓની પત્ની બાઇક પર તેઓના 4 બાળકો સાથે ગોરીયાદ ગામે પ્રસંગ પતાવી પોતાના ગામ તરફ જતા હતા. તે દરમિયાન ટ્રક ચાલકે તેમની બાઈકને અડફેટે લેતા નઝીર ભલાવત, તેમના પત્ની અને 3 વર્ષના બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે ત્રણ બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
ટ્રક ચાલક અકસ્માત કરી પુરપાટ ઝડપે ટ્રક દોડાવીને ભાગી ગયો હતો. અને વરણામાં નજીકની ગુરુનાનક હોટલ પર ટ્રક છોડી અને ટ્રક ચાલક તેમજ ક્લીનર પલાયન થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને અકસ્માત કરનાર ટ્રકને કબજે લઈને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. જ્યાં ઈજ્ગ્રસ્ત ત્રણ બાળકોને 108 એમ્બ્યુલન્સ મારફતે શહેરની સયાજી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…