વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સાંજે 4:30 કલાકે કોવિડ-19ને કારણે સર્જાયેલા નવા સંજોગો અંગે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે. ઝડપથી ફેલાતા કોરોના રોગચાળાના ત્રીજી લહેર વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને રોગચાળાને પહોંચી વળવા માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
PM Modi will interact with CMs of all states tomorrow at 4:30 pm via VC on Covid-19 situation
(file pic) pic.twitter.com/NpoG981BIu
— ANI (@ANI) January 12, 2022
આ પહેલા રવિવારે PMએ દેશમાં કોવિડ-19 રોગચાળાની સ્થિતિ, સ્વાસ્થ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ચાલી રહેલી તૈયારી, દેશમાં રસીકરણ અભિયાનની સ્થિતિ, ઓમિક્રોનના ફેલાવાની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ દરમિયાન, તેમણે જિલ્લા સ્તરે પર્યાપ્ત આરોગ્ય માળખાની ખાતરી કરવા અને મિશન મોડ પર પુખ્ત વયના લોકો માટે રસીકરણ અભિયાનને વધુ તીવ્ર બનાવવા અપીલ કરી. તે જ સમયે, તેમણે કહ્યું હતું કે રાજ્યોની સ્થિતિ, તૈયારી અને જાહેર આરોગ્ય સુવિધાઓ પર ચર્ચા કરવા માટે મુખ્યમંત્રીઓ સાથે બેઠક બોલાવવામાં આવશે
કોરોના સંક્રમણના કેસોમાં વધારાની વચ્ચે, દેશમાં આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને અન્ય ગંભીર રોગોથી પીડિત 60 વર્ષથી વધુ ઉંમરના દર્દીઓને રસીના સાવચેતીભર્યા ડોઝ આપવાનું અભિયાન શરૂ થયું છે. વડાપ્રધાન મોદી વારંવાર એ વાત પર ભાર મૂકતા રહ્યા છે કે કોવિડ-19 સામેની લડાઈમાં રસીકરણ એ સૌથી અસરકારક શસ્ત્ર છે. વર્ષ 2020 માં રોગચાળાની શરૂઆતથી, તેમણે મુખ્યમંત્રીઓ સાથે બેઠકો કરીને ઘણી વખત સ્થિતિની સમીક્ષા કરી છે.