રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા દુર્લભ ઘૂડખર અને વિદેશી નયનરમ્ય પક્ષીઓના ઝુંડ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બને છે. કચ્છના નાના રણમાં વિદેશી નયનરમ્ય પક્ષીઓની સંખ્યા 350%ના વધારા સાથે 351196 સુધી પહોંચી છે જ્યારે દુર્લભ ઘૂડખરો પણ 37%ના વધારા સાથે 6082એ પહોંચ્યા છે. 16 ઓકટોબરથી કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ ઘૂડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે, ત્યારે રણમાં પ્રવાસનની પ્રથમ શરૂઆત આઝાદી પહેલા બજાણા સ્ટેટ (રાજા) કમાલખાને કરી હતી
સને 1973માં રણના 4954 ચો.કિ.મી. વિસ્તારને રણ સિવાય વિશ્વભરમાં ન જોવા મળતા ઘૂડખર માટે રક્ષિત જાહેર કરવામાં આવ્યો હતો. આ રણમાં દુર્લભ ઘૂડખર, નિલગાય, કાળીયાર, ચિંકારા, વરૂ, નાવર, રણ લોંકડી અને ઝરખ સહિતના પ્રાણીઓ વસવાટ કરે છે. આ સિવાય બજાણા ટૂંડી તળાવમાં ફ્લેમીંગો, પેલિગન સફેદ અને ગુલાબી કલરના લેસર અને ગ્રેટર પક્ષીઓ સહિત વિદેશથી શિયાળો ગાળવા આવતા પક્ષીઓનો અનોખો મેળાવડો જામે છે. રણમાં જોવા મળતા વિવિધ રક્ષિત પ્રાણીઓ અને વિદેશી નયનરમ્ય પક્ષીઓનું ઝુંડ સ્થાનિક પ્રવાસીઓ અને વિદેશી પર્યટકોમાં અનેરૂ આકર્ષણ જમાવે છે.
કચ્છના નાના રણમાં પાંચ-છ વર્ષ અગાઉ યોજાયેલી પક્ષી ગણતરીમાં કુલ 103 પ્રકારના 99740 પક્ષીઓ નોંધાયા હતા અને ગત વર્ષે 2019માં કરાયેલી પક્ષી ગણતરીમાં આ સંખ્યા 350%ના વધારા સાથે 351196 સુધી પહોંચી હતી. એ જ રીતે રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા દૂર્લભ ઘૂડખરની સંખ્યા સને 2014માં 4451 નોંધાઇ હતી. જે થોડા સમય અગાઉ અભયારણ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડામાં આ સંખ્યા 37%ના વધારા સાથે 6082એ પહોંચવા પામી છે. 16 ઓકટોબરથી કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ ઘૂડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. જેમાં ફરજીયાત માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે કોરોના ગાઇડલાઇનની તમામ તકેદારીઓ તંત્ર દ્વારા રાખવામાં આવી રહી છે. ત્યારે રણમાં પ્રવાસનની પ્રથમ શરૂઆત આઝાદી પહેલા બજાણા સ્ટેટ (રાજા) કમાલખાને કરી હતી. બજાણા ચોવીસીના છેલ્લા સ્ટેટ કમાલખાન પોતાની સાથે ચૂનીકાકા અને સઇખાન સહિતના સુબેદારને લઇને નિયમિત રણ પ્રવાસન માટે વિન્ટેજ કાર લઇને જતા હતા.
છેલ્લા 10 વર્ષના રણના પ્રવાસીઓ અને આવકના આંકડા
વર્ષ ભારતીય પ્રવાસીઓ વિદેશી પ્રવાસીઓ આવક(રૂપિયામાં)
2011-12 4617 643 648427
2012-13 8202 1405 1153225
2013-14 10045 1163 1197250
2014-15 11872 1298 1337970
2015-16 12633 1468 2726309
2016-17 13935 1154 2599123
2017-18 14250 1575 3070002
2018-19 16472 1527 3522228
2019-20 14801 1126 3984582
2020-21 4235 – 813900
રણમાં આવતા વિદેશી પક્ષીઓમાં 350%નો વધારો નોંધાયો
કચ્છના નાના ણમાં પાંચ વર્ષ અગાઉ નોંધાયેલી વસ્તી ગણતરી અનુસાર વિદેશી નયનરમ્ય પક્ષીઓની સંખ્યામાં કુલ 103 પ્રકારના 99740 પક્ષીઓ નોંધાયા હતા. જે ગત વર્ષે યોજાયેલી પક્ષી ગણતરીમાં આ સંખ્યા 350%ના વધારા સાથે 351196 સુધી પહોંચી હતી.
વિસ્તાર પક્ષીઓની સંખ્યા
ધ્રાંગધ્રા 42925
આડેસર 241260
હળવદ 21298
બજાણા 45113
————————
કુલ :-> 351196
ઘૂડખરની સંખ્યા પણ 37% જેટલી નોંધપાત્ર વધી
વર્ષ સંખ્યા
1998 2839
2004 3863
2009 4038
2014 4451
2020 6082