રાજ્યમાં એક તરફ સતત કોરોનાના કેસ વધી રહ્યા છે તો બીજી તરફ અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. લોકો જ્યાં કોરોનાને લીધે જીવ ગુમાવી રહ્યા છે. તો ત્યાં જ અકસ્માતમાં પણ જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કચ્છ ભુજના નારણપર રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
મળતી માહિતી મુજબકચ્છ ભુજના નારણપર રોડ પર ટ્રેઇલર નીચે ખાબકતાં આગ લાગી હતી.સ્થાનિકોએ ફાયર બિગ્રેડને જાણ કરતાં ત ઘટના સ્થળ પર પહોચી હતી.ભુજ ફાયર ટીમે ભારી જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.આગની આ ઘટનામાં એક વ્યક્તિનું જીવતું ભડથું થય ગયું હતું .જ્યારે એક વ્યક્તિનો બચાવ કરાયો હતો.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ..