લાહોર અને પંજાબ પ્રાંતના અન્ય ભાગોમાં વિનાશક પૂરને કારણે વિવિધ શાકભાજી અને ફળોના ભાવમાં તીવ્ર ઉછાળા વચ્ચે પાકિસ્તાન સરકાર ભારતમાંથી ટામેટાં અને ડુંગળીની આયાત કરી શકે છે. બજારના હોલસેલ વેપારીઓએ આ માહિતી આપી હતી.લાહોર અને પંજાબ પ્રાંતના અન્ય ભાગોમાં વિનાશક પૂરને કારણે વિવિધ શાકભાજી અને ફળોના ભાવમાં તીવ્ર ઉછાળા વચ્ચે પાકિસ્તાન સરકાર ભારતમાંથી ટામેટાં અને ડુંગળીની આયાત કરી શકે છે. બજારના હોલસેલ વેપારીઓએ આ માહિતી આપી હતી.
લાહોરના બજારના જથ્થાબંધ વેપારી જવાદ રિઝવીએ જણાવ્યું હતું કે, “રવિવારે લાહોરના બજારોમાં ટામેટા અને ડુંગળીનો ભાવ અનુક્રમે રૂ. 500 અને રૂ. 400 પ્રતિ કિલો હતો. જો કે, રવિવારના બજારોમાં, ટામેટાં અને ડુંગળી સહિત અન્ય શાકભાજી નિયમિત બજારો કરતાં 100 રૂપિયા પ્રતિ કિલો ઓછા ભાવે ઉપલબ્ધ હતા.
તેમણે કહ્યું કે, આગામી દિવસોમાં ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધુ વધારો થશે કારણ કે પૂરને કારણે બલૂચિસ્તાન, સિંધ અને દક્ષિણ પંજાબમાંથી શાકભાજીના પુરવઠાને ભારે અસર થઈ છે. રિઝવીએ કહ્યું, “આગામી દિવસોમાં ડુંગળી અને ટામેટાની કિંમત 700 રૂપિયા પ્રતિ કિલોને પાર કરી શકે છે. એ જ રીતે બટાકાની કિંમત 40 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 120 કિલો થઈ ગઈ છે.સરકાર વાઘા બોર્ડર દ્વારા ભારતમાંથી ડુંગળી અને ટામેટાંની આયાત કરવાના વિકલ્પ પર વિચાર કરી રહી હોવાનું જાણવા મળે છે.
આ પણ વાંચો: સમાજ સુરક્ષા સંકુલમાંથી 12 વર્ષીય બાળક લાપતા, શોધખોળ બાદ પણ કોઈ પત્તો ન મળ્યો