Not Set/ આ શહેર તુલસી વિવાહ સાથે સંકળાયેલ છે, અહીં આવેલા જંલધર બીચની પાછળ એક પૌરાણિક કથા જોડાયેલી છે, આવો જાણીએ શું તે કથા

દીવનો ઈતિહાસ તુલસી વિવાહ સાથે સંકળાયેલ છે. દીવમા આવેલા જંલધર બીચની પાછળ એક પૌરાણિક કથા જોડાયેલી છે. દર વર્ષે કારતક સુદ અગિયારસના દિવસે લોકો સાલીગ્રામ અને તુલસી ના લગ્ન કરે છે. દીવમા જ્યાં જંલધરનુ મસ્તક પડ્યું હતું ત્યાં જંલધર મંદિર આજે પણ મૌજુદ છે. તેથી તે દરીયા કિનારો પણ જંલધર બીચ તરીકે પ્રખ્યાત છે. દીવના […]

Uncategorized
દીવ આ શહેર તુલસી વિવાહ સાથે સંકળાયેલ છે, અહીં આવેલા જંલધર બીચની પાછળ એક પૌરાણિક કથા જોડાયેલી છે, આવો જાણીએ શું તે કથા

દીવનો ઈતિહાસ તુલસી વિવાહ સાથે સંકળાયેલ છે. દીવમા આવેલા જંલધર બીચની પાછળ એક પૌરાણિક કથા જોડાયેલી છે. દર વર્ષે કારતક સુદ અગિયારસના દિવસે લોકો સાલીગ્રામ અને તુલસી ના લગ્ન કરે છે. દીવમા જ્યાં જંલધરનુ મસ્તક પડ્યું હતું ત્યાં જંલધર મંદિર આજે પણ મૌજુદ છે. તેથી તે દરીયા કિનારો પણ જંલધર બીચ તરીકે પ્રખ્યાત છે. દીવના લોકો જંલધરની પણ પૂજા કરવામા આવે છે.

તુલસી વિવાહ જંલધર ના ઈતિહાસ થી સંકળાયેલી પૌરાણિક કથા છે. દીવ મા પણ જંલધર બીચ આ કથા નો એક ભાગ છે. દીવ માં જંલધર બીચ ખાતે જંલધર નું મંદિર પણ સ્થાપિત છે.

દીવ એક પર્યટક સ્થળ ની સાથે દેવો ની નગરી પણ કહેવામાં આવે છે. દીવ મા એક જંલધર બીચ છે જેની પાછળ એક પૌરાણિક કથા છે. જંલધર સમુદ્ર નો પુત્ર અને લક્ષ્મીજી નો ભાઈ હતો. જેને સત્તા મળતા તે રાજા બની અત્યાચાર ફેલાવતો, તેના આ અત્યાચાર ને ખતમ કરવા અને જંલધર નો નાશ કરવા સ્વંય ભગવાન ને કપટ કરવું પડ્યું હતું.

જંલધર ની પત્ની વૃંદા સતી હતી તેથી તેમના પતિ જંલધર ને કોઈ મારી શકે તેમ ના હતું. જો વૃંદા નું સતીત્વ ભંગ થાય તો જંલધર નું મૃત્યુ થાય તેથી ભગવાન જંલધર નું રુપ લઈ ને વૃંદા નું સતીત્વ ભંગ કરે છે. ત્યારે યુધ્ધ કરવા ગયેલ જંલધર નું મસ્તક વૃંદા ના ખોળા માં પડે ત્યારે સામે ઉભેલા ભગવાન ને વૃદા પૂછે છે કે આપ કોણ છો? ત્યારે ભગવાન તેમના અસલી રૂપ માં આવે છે, ત્યારે વૃંદા તેમને પથ્થર બનવા નો શ્રાપ આપે છે, સાથે ભગવાન પણ વૃંદા ને વનસ્પતિ બનવાનો સાપ આપે છે તેથી તે તુલસી બને છે અને દર વર્ષે કારતક સુદ અગિયારસ ના દિવસે લોકો સાલીગ્રામ અને તુલસી ના લગ્ન કરે છે.

જેથી તે દિવસ તુલસી વિવાહ તરીકે ઓળખાય છે. દીવ મા જ્યાં જંલધર નુ મસ્તક પડ્યું હતું ત્યાં જંલધર મંદિર આજે પણ મૌજુદ છે, તેથી તે દરીયા કિનારો પણ જંલધર બીચ તરીકે પ્રખ્યાત છે. દીવ મા તુલસી પણ દરેક સ્થળે તરત જ ઉગી નીકળે છે. અને દીવ ના લોકો જંલધર ની પણ પૂજા કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.