- રાજ્યના વધુ બે IAS અધિકારીઓની બદલી
- ભાવનગર કલેક્ટરનું CMOમાં ટ્રાન્સફર
- ડી.કે પારેખની મુખ્યમંત્રી કાર્યાલયમાં નિમણુંક
- માહિતીખાતાના આર.કે. મહેતાની બદલી
- ભાવનગરના કલેક્ટર બન્યા આર.કે. મહેતા
રાજયમાં બદલીનો દોર યથાવત પણે અવિરતપણ ચાલુ જ છે, ઉચ્ચ અધિકારીઓની બદલી થઇ રહી છે. આજે રાજયના બે વધુ આઇએએસની બદલીના મોટા સમાચાર સામે આવ્યા છે. ભાવનગર કલેકટરની ટ્રાન્સફર કરવામાં આવી છે,ભાવનગરના કલેકટર ડી.કે પારેખની નિમણૂંક મુખ્યમંત્રી કાર્યાલયમાં કરવામાં આવી છે જયારે માહિતીખાતાના આર.કે. મહેતાની બદલી ભાવનગરના કલેકટર તરીકે કરવામાં આવી છે.