- હાઇવે અકસ્માતમાં બે લોકોનાં મોત
- રાજકોટ- અમદાવાદ હાઇવે પર અકસ્માત
- માલિયાસણ ગામ નજીક સર્જાયો અક્સ્માત
- ડમ્પર પાછળ ઇકો કાર ઘુસી જતા અકસ્માત
- ઇકો ગાડીમાં સવાર હતા 8 થી 10 લોકો
- કારમાં સવારમાં 2 લોકોના ઘટના સ્થળે મોત
- ગાડીમાં સવાર કેટલાક મુસાફરોની હાલત ગંભીર
- ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા
- પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
Highway ACCIDENT : ગુજરાતમાં ટ્રાફિક નિયમો નેવે મૂકીને વાહન હંકારતા અકસ્માતનાે ઘટના દિન પ્રતિદિન વધી રહી છે. રાજકોટ અમદાવાદ હાઇવે પર અકસ્માતના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ- અમદાવાદ હાઇવે પાસે માલિયાસણ ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જોયો છે જેમા 4 લોકોના મોત નિપજ્યા છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ-મહેસાણા હાઇવે પાસોે માલિયાસણ ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જોયો હતો જેમાં બે લોકોના ઘટનાસ્થળે મોત નિપજયા છે અને અનેક મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘાયલ થયેલા મુસાફરોને સત્વરે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાજકોટ અમદાવાદ હાઇવે ઇકો ગાડિના વાહન ચાલકે ગાડિ પુરઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારતા સ્ટેરિંગ પર કાબુ ગુમાવી દેતા ગાડિ આગળ ચાલતા ડમ્પરમાં ઘૂસાડી દીધી હતી. જેના લીધે ઇકોમાં સવાર 4 મુસાફરોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે.
આ અકસ્માત સર્જાતા નજીકના લોકો મદદ માટે દોડી આવ્યા હતા,બચાવ કામગીરી હાથ ધરી હતી, આ અક્સમાત અંગે પોલીસને જાણ કરી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી અને જે ઇજાગ્રસ્ત થયા હતા તેમને સત્વરે નજીકની હોસ્પિટલમાં ખસેડયા હતા અને જે બે લોકો ઘટનાસ્થળે મોત નિપજ્યા છે તેમનું મૃતદેહ પોસ્ટમોર્ટ માટે મોકલી આપ્યું હતું. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હાલ તેમની ઓળખ કરી રહી છે.