Ahmedabad/ નકલી પોલીસ બની રોફ જમાવતા બે શખ્સોની ધરપકડ

નકલી પોલીસ બની રોફ જમાવતા બે શખ્સો ધરપકડ

Top Stories Ahmedabad Gujarat
દૂધસાગર 2 નકલી પોલીસ બની રોફ જમાવતા બે શખ્સોની ધરપકડ

@વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ

અમદાવાદમાં ખાખી પહેરી રોફ જમાવતી નકલી પોલીસ અસલ પોલીસના હાથે ઝડપાઇ ગયો છે. કારંજ પોલીસે બે નકલી પોલીસની ધરપકડ કરી છે. બહુરૂપી બની પૈસા પડવા નીકળતા આરોપીએ અનેક લોકોને શિકાર બનાવ્યા છે.

  • બહુરૂપી નકલી પોલીસ અસલી પોલીસની ગિરફતમાં
  •  રિલીફ રોડ પર વેપારીઓને માસ્કના ફંડીગ નામે પડાવતાં પૈસા
  •  નકલી પોલીસ બની રોફ જમાવતા બે શખ્સો ધરપકડ

કારંજ પોલીસની ગિરફતમાં જોવા મળતા આ બેહરુપિયા છે. પોલીસના વેશમાં માસ્કના ફડિંગના નામે વેપારીઓ પાસે પૈસા પડાવતાં હતા. નકલી પોલીસ બની રોફ જમાવતા રાજેશ બહુરૂપી અને જગદીશ ઉર્ફે ધારા હીરાવત બન્ને જાણા રિલીફ રોડ પર આવેલ દુકાનોમાં વેપારીને માસ્ક ફડિંગ નામે પૈસા પડાવી રહ્યા હતા. જેની કારંજ પોલીસને માહિતી મળતા નકલી પોલીસને રંગેહાથ ઝડપી લીધી. જો કે પોલીસે તપાસ કરતા નકલી પોલીસ છેલ્લા 3 દિવસથી રિલીફ રોડ પર અનેક વેપારીઓને માસ્કના નામે શિકાર બનાવી પૈસા પડાવી લીધા છે.

નકલી પોલીસ રાજેશ બહુરૂપી અને જગદીશ ઉર્ફે ધારા હીરાવત દુકાનોમાં વેપારીઓ માસ્ક ફડિંગ નામે પૈસા માગીને દુકાન કામ કરતા કારીગરો ગણતરી કામ કરવાનું છે. તેમ કહી નકલી પોલીસ દ્વારા વેપારીઓને ધમકાવી કહેતા હતા કે માસ્ક ફંડીગ પૈસા નહિ આપો તો દુકાનમાં માણસો માસ્ક નહી પહેરાવના મેમાં 5 હજાર દંડ આપવા પડશે. આમ કહીને બે અલગ અલગ વેપારી પાસે 1700 રૂપિયા પડાવી લીધા હતા. જો કે પોલીસ તપાસ કરતા છેલ્લા 3 મહિનાથી શહેર અલગ અલગ જગ્યા પર અનેક લોકો ટાર્ગેટ બનાવી પૈસા પડાવી લીધા છે. ત્યારે અસલાલી પાસે એક કપલ પાસે 2 હજાર રૂપિયા પડાવી લીધા હતા. ઉલ્લેખનીય છે કે પકડાયેલ બહુરૂપીઓ અલગ અલગ વેશ બદલીને પણ રૂપિયા પડાવતાં હોવાનું સામે આવ્યું છે.

નકલી પોલીસ બનેલ બહુરૂપીઓ ખાખી કપડાં ક્યાંથી લાવ્યા છે જે મામલે પૂછપરછ શરૂ કરી છે. સાથે જ અત્યાર સુધી કેટલા લોકો પાસે પૈસા પડાવ્યા છે જેની પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…