ચીનમાં પાંચ વર્ષે યોજાતી કમ્યુનિસ્ટ પાર્ટીની કોંગ્રેસમાં નવા નિયમો જાહેર થાય તેવી વકી છે. નવા નિયમો મુજબ વેપારીઓ અને પત્રકારો જેવા વર્ગોએ પાર્ટી પ્રત્યે નીષ્ટા વ્યકત કરવાની સાથોસાથ દેશભક્તિની નિષ્ઠાના પાથ ભનાવાના રેહશે.
આ નવા નિયમો પાર્ટીની નેતૃત્વ પ્રત્યે કટિબદ્ધતા અને સરકાર પ્રત્યેની નિષ્ઠાને વધારે ધનિષ્ઠ બનાવશે. દેશભક્તિની ટેસ્ટમાં નાપાસ થનારને દંડ ફટકારવામાં આવશે.
કાયદાની આ સંપૂર્ણ કવાયત લોકોની સ્વતંત્રતા પર વધારેમાં વધારે નિયત્રણ સ્થાપિત કરશે. પાર્ટીના ટોચની નેતાને કોણ દેશભક્ત છે અને કોણ નથી તે નક્કી કરવાનો એકાધિકાર પ્રાપ્ત થશે.
પાર્ટીના સેન્ટ્રલ કમિટી અને સ્ટેટ કાઉન્સીલ તાજેતરમાં માર્ગરેખા જાહેર કરી છે. આ માર્ગરેખા પ્રમાણે વેપારીઓને દેશભક્તિના માપદંડ પ્રમાણે કામગીરી બજાવવાની તેમજ વેપારના મહતમ કસરયુક્ત બનાવવાની શિખામણ આપવામાં આવી છે. વેપારમાં દેશભક્તિના મૂલ્યોનું સંપૂર્ણ પાલન કરાય છે કે તેની પર સરકાર નજર રાખનાર છે.