યુએસમાં કેપિટલ હિલમાં મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિની ઉજવણી થઇ હતી. ભારતીય એમ્બસી, યુએસ લો મેકર્સ અને અમેરિકન, ભારતીયોની હાજરીમાં આ ઉજવણી થઇ હતી.
યુનાઇટેડ એમ્બેસેડર નવતેજ સિંહે મહાત્મા ગાંધીનાં શબ્દોને યાદ કર્યા હતા કે , ‘મારું જીવન જ મારો સંદેશ છે.’ એમણે જણાવ્યું કે, ‘આપણે એમને રાષ્ટ્રપિતા તરીકે ઓળખીએ છીએ. આપણે એમણે એક એવાં વ્યક્તિ તરીકે ઓળખીએ છીએ જેમણે ભારતને આઝાદી અપાવા માટે આગેવાની કરી અને ખરેખર ભારતને આઝાદી અપાવી.’
![યુએસ કેપિટલમાં થઇ 150મી ગાંધી જન્મ જયંતિની ઉજવણી 2 gandhi jayanti યુએસ કેપિટલમાં થઇ 150મી ગાંધી જન્મ જયંતિની ઉજવણી](https://api.mantavyanews.in/wp-content/uploads/2018/11/gandhi-jayanti.jpg)
આ ઉપરાંત લોકોને સંબોધતા એમણે કહ્યું કે, ‘જે લોકો એક સારો સમાજ બનાવા માંગે છે અથવા સમાજમાં થઇ રહેલાં ખોટા કામને સુધારવા માંગે છે તેઓ મહાત્મા ગાંધીથી પ્રેરણા લઇ શકે છે.’