- દક્ષિણ બાજુના પ્રિન્સટન પાર્કમાં રવિવારે રાત્રે સશસ્ત્ર લૂંટ દરમિયાન દેવશિશ નંદેપુને ગોળી મારી દેવામાં આવી હતી
- અમેરિકામાં ભારતીયો પર સશસ્ત્ર હુમલાના વધતા જતા બનાવો
- મંદીના લીધે નોકરીમાંથી છૂટો થયેલો અમેરિકાનો વર્ગ હિંસા તરફ વળ્યો હોવાની માન્યતા
ન્યૂયોર્કઃ શિકાગોમાં એક સશસ્ત્ર લૂંટ દરમિયાન US Indian Shoot ગોળી વાગતાં 23 વર્ષીય ભારતીયનું મૃત્યુ થયું છે, એમ મંગળવારે એક મીડિયા રિપોર્ટ અનુસાર જણાવાયું હતું. શિકાગો પોલીસે મંગળવારે સવારે જણાવ્યું હતું કે દક્ષિણ બાજુના પ્રિન્સટન પાર્કમાં US Indian Shoot રવિવારે રાત્રે સશસ્ત્ર લૂંટ દરમિયાન દેવશિશ નંદેપુને ગોળી મારી દેવામાં આવી હતી.
એબીસી 7 આઇવિટનેસ ન્યૂઝના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, ભારતીય નાગરિક ગંભીર ઇજાઓને કારણે મૃત્યુ પામ્યો હતો. ઓક લૉનમાં ક્રાઇસ્ટ મેડિકલ સેન્ટરમાં સોમવારે સવારે 4 વાગ્યા પછી જ નંદેપુનું અવસાન થયું હતું. આ ઘટના દરમિયાન તેને બગલમાં ગોળી વાગી હતી અને તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
નંદેપુ અને અન્ય 22 વર્ષીય યુવક સાંજે 6:55 વાગ્યે પાર્કિંગની નજીક હતા. રવિવારે જ્યારે એક ઘેરા રંગનું વાહન તેમની પાસે આવ્યું. વાહનમાં સવાર બે વ્યક્તિઓએ તેમને બંદૂકની અણી પર પકડી લીધા હતા અને તેમની પાસેથી કિંમતી ચીજવસ્તુઓની માંગણી કરી હતી. નંદેપુ અને તેના મિત્રએ પાલન કર્યું અને તેમને ગોળી મારી દેવામાં આવી, અધિકારીઓએ જણાવ્યું હતું. યુવાનને છાતીમાં વાગ્યું હતું અને તેને યુનિવર્સિટી ઓફ શિકાગો મેડિકલ સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત ગંભીર હતી, પોલીસે જણાવ્યું હતું.
આ મહિનામાં જ અગાઉ બનેલા બનાવમાં ભારતમાં ગુજરાતના વતનીની લૂંટના ઇરાદે ઘર પાસે જ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં તેની પત્ની અને પુત્રીને ગંભીર ઇજા થઈ હતી. તેમા પિનલ પટેલનું અવસાન થયું હતું, પરંતુ ગંભીર ઇજા પછી પણ તેમના પત્ની અને પુત્રી બચી ગયા હતા. ઘર લૂંટવા આવેલા હુમલાખોરોએ પિનલ પટેલને દસ ગોળી મારી હતી. જ્યારે તેમની પત્ની રૂપલ અને પુત્રી ભક્તિન બે-બે ગોળી વાગી હતી.
આ પણ વાંચોઃ