Not Set/ ભગવાન રામની જેમ પીએમ મોદીની પૂજા કરવામાં આવશે, આ રાજ્યના મુખ્ય પ્રધાને કહી આ મોટી વાત

ભગવાન રામની જેમ પીએમ મોદીની પૂજા કરવામાં આવશે, આ રાજ્યના મુખ્ય પ્રધાને કહી આ મોટી વાત

Top Stories India
strome 1 12 ભગવાન રામની જેમ પીએમ મોદીની પૂજા કરવામાં આવશે, આ રાજ્યના મુખ્ય પ્રધાને કહી આ મોટી વાત

તીરથ સિંહ રાવતે માંડ 15 દિવસ થયા છે હજુ તો ઉત્તરાખંડની કમાન સંભાળે. અને  તેમના આપલા  નિવેદનથી સમગ્ર દેશના રાજકીય ગલીયારમાં હંગામો મચી ગયો છે. હકીકતમાં, મુખ્યમંત્રીએ પીએમ મોદીની તુલના ભગવાન રામ સાથે કરી છે. એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું કે ભવિષ્યમાં પીએમ મોદીની પણ પૂજા કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મુખ્યમંત્રી તીરથસિંહ રાવત રવિવારે સરકારી પીજી આયુર્વેદિક કોલેજ, ઋષિકુલના સભાગૃહમાં સામાજિક સંસ્થા દ્વારા આયોજિત ‘નેત્ર કુંભ’ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે સભાને સંબોધન કરતાં કહ્યું કે અગાઉ ભગવાન રામએ સમાજ માટે સારું કામ કર્યું હતું અને તેથી લોકોએ તેમને ભગવાન માનવા માંડ્યા, તેવી જ રીતે ભવિષ્યમાં આપણા પ્રિય વડા પ્રધાન સાથે પણ આવું જ હશે.

રાવતે વધુમાં કહ્યું કે, આજે વિવિધ દેશોના નેતાઓ વડા પ્રધાન સાથે ફોટો ક્લિક કરવા માટે લાઇનમાં છે. આ પહેલાના સમયથી વિરુદ્ધ છે જ્યારે કોઈ વિશ્વ નેતા આપણા દેશના વડા પ્રધાન સાથે આટલાં ગાઢ સંબંધિત ન હતા. નરેન્દ્ર મોદીના કારણે હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. આ એક નવું ભારત છે જે તેમણે બનાવ્યું છે.