Festival/ આવી ગઇ ઉત્તરાયણ….આનંદો! પતંગ રસિયાઓ માટે સામે આવ્યા સારા સમાચાર

રાજ્યભરમાં 14-15 જાન્યુઆરી મકરસંક્રાંતિનાં તહેવારની ઉજવણી કરાશે.આ વખતે કોરોનાકાળમાં હવે લોકો ઉત્તરાયણની ઉજવણી કરશે ત્યારે આ વખતે રાજ્યમાં સારો પવન રહેશે તેવી હવામાન વિભાગ તરફથી જાણકારી અપાઇ છે…

Ahmedabad Gujarat
PICTURE 4 આવી ગઇ ઉત્તરાયણ....આનંદો! પતંગ રસિયાઓ માટે સામે આવ્યા સારા સમાચાર

@કામેશ ચોકસી, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

રાજ્યભરમાં 14-15 જાન્યુઆરી મકરસંક્રાંતિનાં તહેવારની ઉજવણી કરાશે.આ વખતે કોરોનાકાળમાં હવે લોકો ઉત્તરાયણની ઉજવણી કરશે ત્યારે આ વખતે રાજ્યમાં સારો પવન રહેશે તેવી હવામાન વિભાગ તરફથી જાણકારી અપાઇ છે. 2021ની ઉત્તરાયણ આ વખતે લોકો માટે સારી રહેશે કારણ કે પવનની ગતિ સામાન્ય કરતાં વધુ સારી જોવા મળશે. એકબાજુ ઠંડીનાં પ્રમાણમાં બે દિવસ વધારો થઇ શકે છે તો બીજી બાજુ પવનની ગતિ સામાન્ય કરતાં સારી રહેશે.

PICTURE2 આવી ગઇ ઉત્તરાયણ....આનંદો! પતંગ રસિયાઓ માટે સામે આવ્યા સારા સમાચાર

હવામાન વિભાગની આગાહી

ઉત્તરાયણને લઇને પવનને લઇને હવામાન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે આગામી બે દિવસ ઉત્તરાયણ- વાસી ઉત્તરાયણ સારો પવન રહેવાની આશા વ્યકત કરાઇ છે. રાજ્યમાં બપોરનાં સમયે પ્રતિકલાક 10 થી 15 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઇ શકે છે જેથી પતંગ રસિયાઓ બપોરે પતંગ ચગાવવાની મજા માણી શકશે.સાથે જ બે દિવસ ઉત્તરાયણ-વાસી ઉત્તરાયણ દરમિયાન દિવસભર 10 થી 15 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની પણ આગાહી વ્યકત કરાઇ છે જેને લઇને સારી હવા રહેતા પતંગ રસિકો પતંગ ચગાવવાની મજા માણી શકશે.આ ઉપરાંત બે દિવસ દરમિયાન આકાશ વાદળછાયું રહેશે તથા સવારે ઠંડીનાં પ્રમાણમાં વધારો થાય તેવી પણ શકયતા વ્યકત કરાઇ છે.

શું છે મકરસંક્રાંતિનું મહત્વ

આધ્યાત્મિક દ્રષ્ટિએ દેવોનો રાજા ગણાતો સૂર્ય પોતાની રાશિ બદલે છે તેને સંક્રાંત કહેવાય છે અને આ દિવસે સૂર્ય ધન રાશિ બદલીને મકર રાશિમાં પ્રવેશ કરશે.જેથી મકરસંક્રાંતિનું પર્વ ઉજવાય છે.15મી જાન્યુઆરીથી શુભ અને માંગલિક કાર્યો પણ ધનુર્માસ પૂર્ણ થતાં થઇ શકશે.

PICTURE 3 આવી ગઇ ઉત્તરાયણ....આનંદો! પતંગ રસિયાઓ માટે સામે આવ્યા સારા સમાચાર

ઉત્તરાયણ માટે માર્ગદર્શિકા

રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાયણ પર્વને લઇને માર્ગદર્શિકા જાહેર કરાઇ.જેમા રસ્તા પર,મેદાનમાં કે જાહેર સ્થળો પર એકઠા થવું નહીં.જાહેર સ્થળો પર પતંગ ચગાવી શકાશે નહીં.પરિવાર સાથે કોરોના ગાઇડલાઇનનાં પાલન સાથે ઉત્તરાયણની ઉજવણી કરી શકાશે.65 વર્ષથી વધુ વયની ઉંમરનાં લોકો અને બાળકોને ઘરમાં સુરક્ષિત રહેવા અપીલ. માસ્ક વગર ફલેટનાં ધાબે કે ઇમારત પર એકઠા થવાની પરવાનગી આપવામાં આવશે નહીં. તમામ કોવિડ ગાઇડલાઇનનું સૌ લોકોએ પાલન કરવું પડશે.

PICTURE 3 1 આવી ગઇ ઉત્તરાયણ....આનંદો! પતંગ રસિયાઓ માટે સામે આવ્યા સારા સમાચાર

સોશિયલ ડિસ્ટન્સ સાથે બે ગજની દૂરીનું પાલન કરવું પડશે. સેનેટાઇઝર સહિત વસ્તુઓનો ઉપયોગ કરવા તાકીદ કરાઇ.ફલેટ કે ઇમારતમાં સ્થાનિક રહેવાસી સિવાય અન્ય કોઇપણ વ્યકિતઓને ફલેટનાં ધાબે કે ખુલ્લા મેદાનમાં એકઠા થવા પર પ્રતિબંધ લદાયો છે.મ્યુઝિક સિસ્ટમ વગાડી શકાશે નહીં.ચાઇનીઝ તુક્કલ અને ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવાથી ઉપયોગ કરવો નહીં.ચાર મહાનગરો અમદાવાદ,વડોદરા,સુરત,રાજકોટમાં રાત્રિ કર્ફયૂનો કડકાઇથી અમલ કરાવાશે.ફલેટનાં ધાબે પોલીસ જવાનો ચેકિંગ કરી શકશે.સીસીટીવી અને ડ્રોનનો ઉપયોગ દ્વારા સ્થિતિ પર બાજનજર રખાશે.

Ahmedabad: શહેરમાં આટલા વાગ્યા પછી નહીં વેચી શકાય પતંગ-દોરી, જો વેચી તો…

Gujarat: ધાંગધ્રા તાલુકામાંથી ડ્રોનની મદદથી સફેદ માટીની ચોરી ઝડપાઈ, 6…

Surendranagar: જિલ્લામાં આવી ગઈ કોરોના વેક્સીન, 9500 ડોઝ સુરેન્દ્રનગર લવાયા…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો