વડોદરા
વડોદરા ખાનગી શાળામાં વિદ્યાર્થીની કરપીણહત્યા થતા ચકચારમચી ગઈ હતી. બરાનપુરમાં આવેલી ભારતી વિદ્યાલયમાં ધોરણ-10માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીની સ્કૂલમાં જ હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. શાળાનાં ટોયલેટમાં વિદ્યાર્થીની કરપીણ હત્યા કરનાર આરોપી વલસાડથી ઝડપાયો છે.
મૃતક વિદ્યાર્થીનું નામ દેવ ભગવાનદાસ તડવી છે. વિદ્યાર્થીની હત્યા તીક્ષ્ણ હથિયાર વડે કરવામાં આવી હતી. હત્યા બાદ લાશને બાથરૂમમાં નાખી દેવામાં આવી હતી. આ સમગ્ર ઘટના સ્કૂલના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી અને હત્યારો પણ સીસીટીવીમાં ઝડપાઈ ગયો હતો.
ફોરેન્સીક સાયન્સ લેબના નિષ્ણાંતના અભિપ્રાય પ્રમાણે એક કરતાં વધુ હુમલાખોરોએ હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે. એક સાથે ઉપરા છાપરી ૩૦ જેટલા ઘા ઝીંકવા તે એક વિદ્યાર્થીનું કામ નથી.
હવે પ્રશ્ન એ છે કે, હત્યા માટે બીજા કેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા અને એવુ તો શું કારણ હતુ કે આટલા ઝનૂન પૂર્વક ઘા ઝીંકીને બેરહેમી પૂર્વક હત્યા કરવામાં આવી છે. જો કે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલાઈ જશે.
વિધાર્થિની હત્યા અંગે જાણ થતા પોલીસ સ્કૂલ ખાતે દોડી ગઈ હતી અને એક સ્કૂલ બેગ કબજે કરી હતી. આ સ્કૂલબેગમાંથી એક છરી મળી આવી છે. એફએસએલના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.હાલ પોલીસ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે..