દિલ્હી-અમૃતસર-કટરા કોરિડોર આગામી બે વર્ષમાં સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે. આ એક્સપ્રેસ વે કોરિડોર બનવાથી દિલ્હીથી વૈષ્ણોદેવી જતા ભક્તોનો સમય પાંચ કલાકમાં બચી જશે. હાલમાં દિલ્હીથી વૈષ્ણોદેવી જવા માટે રોડ માર્ગે કુલ 12 કલાકનો સમય લાગે છે, પરંતુ આ કોરિડોર પૂરો થયા બાદ તેમાં માત્ર સાત કલાકનો સમય લાગશે.
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય હેઠળના દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવે કોરિડોરનું નિર્માણ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા કરવામાં આવી રહ્યું છે. NHAI આ પ્રોજેક્ટ જૂન 2024 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખે છે.
વ્યાસ નદી પર બનાવવામાં આવનારો પુલ છે ખાસ
આ પ્રોજેક્ટની સૌથી મહત્વની બાબત છે વ્યાસ નદી પર બની રહેલ પુલ. આ બ્રિજનું નિર્માણ લંડનમાં થેમ્સ નદી પરના ટાવર બ્રિજની જેમ કરવામાં આવશે. બ્રિજની ટોચ પર રેસ્ટોરાં બનાવવામાં આવશે અને લોકો દૂરનું દૃશ્ય સરળતાથી જોઈ શકે તે માટે વેધશાળાઓ પણ બનાવવામાં આવશે.
આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 39,500 કરોડ રૂપિયા છે. આ એક્સપ્રેસ વે પ્રોજેક્ટ પૂરો થવાથી દિલ્હી અને અમૃતસર વચ્ચેનું અંતર પણ ઘટીને માત્ર 5 કલાકનું થઈ જશે. હાલમાં આ અંતર કાપવામાં 8 કલાકનો સમય લાગે છે. નોંધનીય છે કે શરૂઆતમાં આ એક્સપ્રેસ વે 4 લેનનો હશે પરંતુ બાદમાં તેને વધારીને 8 લેન કરવામાં આવશે. પર્યાવરણને હરિયાળું રાખવા માટે આ કોરિડોર પર 15 લાખ વૃક્ષો વાવવામાં આવશે. તેના પર લોકોને 40 પ્રકારની જાહેર સુવિધાઓ આપવામાં આવશે. આ એક્સપ્રેસ વે પર રાજ્યો અને મોટા શહેરો માટે 35 ઇન્ટરચેન્જ બનાવવામાં આવશે.
પ્રોજેક્ટ આ સ્થળોને જોડશે
આ પ્રોજેક્ટ પંજાબમાં જ વૈષ્ણો દેવી મંદિર, સુવર્ણ મંદિર, ખડૂર સાહિબ, ગોવિંદલાલ સાહિબ અને સુલતાનપુર લોદી જેવા ધાર્મિક સ્થળોને જોડશે. ઉપરાંત, રોહતક, લુધિયાણા, ખડૂર સાહિબ, જલંધર, બટાલા, ગુરદાસપુર, પઠાણકોટ, કઠુઆ, સાંબા, જમ્મુ અને કટરા જેવા શહેરોને આ એક્સપ્રેસ વે દ્વારા જોડવામાં આવશે.