@ઉમેશ પટેલ વલસાડ
પ્રકાશના પર્વમાં અંધકાર માં જીવતા લોકોના જીવનમાં ખરા અર્થમાં પ્રકાશ પાથરવાનું કાર્ય કર્યું છે.
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં રહેતું એક યુવતી દ્વારા લગ્નની પહેલી દિવાળી ને કંઈક અનોખી રીતે ઉજવવાનો કર્યો પ્રયાસ દંપતી દ્વારા આ દિવાળી નો તહેવાર ગરીબ પરિવારના ઘરમાં પ્રકાશ લાવવા માટે એક સારો પ્રયાસ કર્યો છે.
વલસાડ જિલ્લાના વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં ઘણા વિસ્તારો રહેતા ગરીબ પરિવારોના ઘરે આજે પણ લાઇટની સુવિધા નથી લાઈટ ના હોવાને કારણે આ પરિવારોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે રાત્રે દરમિયાન આ પરિવારોના મહિલાઓને રસોઈ કરવી હોય કે કોઈ બીજા કામો કરવા હોય તો તેઓએ અંધારામાં જ કરવા પડે છે સાથે સાથે જંગલ વિસ્તાર હોય જેને લઇને અંધકારમાં તેમના ઘરમાં જાનવરો ઘૂસવાનો પણ ભય રહેતો હોય છે. આ પરિવારો ની આર્થીક સ્થિતિ સારી ન હોવાને કારણે આ પરિવાર ના લાઈટ લઈ શકતું નથી જેને લઈ ને આ ગરીબ પરિવારો ના જીવ માં રાત્રી દરમિયાન અંધકાર છવાઈ જતું હોય છે.
ત્યારે આ ગરીબ પરિવારો ના જીવન માંથી અંધકાર દૂર કરવા માટે ધરમપુર ખાતે રહેતા ઋષિત મસરાણી તથા તેમના પત્ની પૂર્વજા મસરાણી દ્વારા આ દિવાળી નિમિતે આ પરિવારો ના જીવન માથી અંધકાર દૂર કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે ઋષિત મસરાણી તથા તેમના પત્ની દ્રારા ધરમપુર તાલુકા ના 300 જેટલા ગરીબ પરિવારો ને દિવાળી ના ખાસ તહેવાર નિમિત્તે સોલાર લાઈટ નું વિતરણ કરવામાં આવ્યું છે અને તેમના જીવન માં આ દિવાળી ના તહેવાર માં અંધકાર દૂર થાય એવો પ્રયાસ કરવામાં આવ્યો છે આ દંપતી દ્વારા વિતરણ કરી સાર્થક રીતે દિવાળીના તહેવાર ઉજવવાનો પ્રયાસ કર્યો હતો.
AMERICA / પૂર્વ સુરક્ષા અધિકારીઓની ચિંતામાં વધારો, ટ્રમ્પ ગુપ્ત માહિતી…
21 મી સદી માં પણ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ઘણા વિસ્તારો છે કે જ્યાં ગરીબ પરિવારો પાસે ઘરમાં લાઈટ નથી ત્યારે ધરમપુર તાલુકામાં રહેતા એક યુવાન દંપતિ દ્વારા આ ગરીબ પરિવારોને સોલાર લાઇટ આપવામાં આવી ધરમપુર ધરમપુર ખાતે રહેતા ઋષિત મસાણી તથા તેમના પત્ની દ્વારા તેમના લગ્નને પહેલી દિવાળી હોય અને આ દિવાળી ને એમના દ્વારા કંઈક અનોખી રીતે ઉજવવાનો પ્રયાસ કર્યો હતો.
ઋષિત મસરાણી તથા તેમના પત્ની દ્વારા ધરમપુર તાલુકાના 300 જેટલા પરિવારોને સોલાર લાઈટ નું વિતરણ કરવામાં આવ્યું હતું આ દંપતી દ્વારા ગરીબ પરિવારના જીવનમાં જે અંધકાર હતું તે અંધકાર દૂર કરવા માટે આ સોલર લાઈટ નું વિતરણ કરવામાં આવ્યું હતું ખાસ કરીને લાઈટ ના હોવાને કારણે ગરીબ પરિવારોને રાત્રી દરમિયાન જ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.
ઘરોમાં વીજળીના હોવાના કારણે ઘરમાં ઘણી વખત સાપ જેવા જેરી જનાવરો પણ ઘૂસ્યા હતા તેને લઈને આ પરિવારોમાં એકદમ નો માહોલ હતો સોલાર લાઇટ મળવાથી આગળ માં હવે પ્રકાશ હોવાથી ઘરમાં સાપ ઘૂસવાનો દર રહેશે નહીં લાઈટ મળતા તમામ પરિવારો માં એક ખુશી નો માહોલ છવાયો હતો આ સોલાર લાઇટ 4 થી 6 કલાક સુધી ચાલશે જેથી આ પરિવારો માં રહેતી મહિલાઓના કામ થઈ શકશે અને ઘરો માં પ્રકાશ રહી શકશે.
AMERICA / બિડેનની એજન્સી સમીક્ષા ટીમમાં 20 ભારતીય, ટ્રમ્પ વહીવટમાંથી સ…
ખુલાસો / સીઆઈએનો સનસનીખેજ ખુલાસો, રશિયા ચીન પર પરમાણુ હુમલો કરનાર હતો…