Not Set/ BJPના દિગ્ગજ નેતાઓએ આપી સૂચના, કહ્યું- SC અને ST પ્રભાવિત બેઠક પર…

મોદીએ દાહોદથી ચૂંટણી શ્રી ગણેશ કર્યા હતા,સંતોષે SC, ST સમુદાયને જોડવા કરી હતી અપીલ

Mantavya Exclusive Politics
SC અને ST

BJPએ ગુજરાત ચૂંટણીના તમામ રેકોર્ડ તોડવા માટે પ્રયાસ હાથ ધર્યા છે અને BJPએ 150 સીટ નો લક્ષ રાખ્યો છે જેને લઈને પાર્ટીની નજર હવે રાજ્યની SC અને ST મતદારો પર છે. જેને લઈને હવે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જો આ ચૂંટણીમાં આપ સારો દેખાવ કરે તો આગમી સમયમાં BJPને નુકશાન વેઠવું પડી શકે છે

BJPને પોતાનો લક્ષ 150 પલ્સનો હાંસલ કરવા માટે પાર્ટીએ એડીચોટીનું જોર લગાવી દીધું છે. જો બીજેપી ને 150 પલ્સ સીટ હાસલ કરવી હોય તો કોંગ્રેસને ખલ્લાસ કરવી પડે અને આમ આદમી પાર્ટીને રોકવી પડે એ જરૂરી છ.. BJPએ સારી રીતે જાણે છે કે આમ આદમી પાર્ટી કોંગ્રેસના જે પારંપરિક મતદારો છે તેને તોડશે. હવે સ્થિતિ એ છે કે કોંગ્રેસ છેલ્લા ઘણા વર્ષોથી એસસી એસટી ઓબીસી મતદારોનો કેટલોક વર્ગ અને લઘુમતી ના સહારે જીત મેળવે છે.

BJPએ પણ જાણે છે કે જો આપ SC અને ST મતદારો પર કબજો મેળવે તો ગુજરાતની ઘણી સીટ આસાનીથી જીતી શકે છે. એક તરફ લોકોને કોંગ્રેસથી નારાજ છે અને સારા ઓપશન ની રાહ જોઇને ઘણા મતદારો બેઠા છે ગ્રામીણ વિસ્તારમાંBJPને નુકશાન થાય છે એ જાહેર બાબત છે. સૌરાષ્ટ્ર માં સૌથી વધારે મતદાર લેઉવા પાટીદાર અને એસસી મતદારો છે ઘણા બેલ્ટમાં OBC મતદારો છે જે પૈકીના ઘણા મતદારો કોંગ્રેસ તરફી છે.તો એસટી મતદારો પણ કોંગ્રેસ તરફી ઝુકાવ રાખે છે. અને એટલે જ મોદીથી લઈને પ્રદેશના નેતાઓ SC અને ST પ્રભાવિત વિસ્તાર પર નેતાઓ ફોક્સ કરી રહ્યા છે.અને એટલે જ મોદીએ ગુજરાતમાં ચૂંટણીના શ્રી ગણેશ કર્યા એ દાહોદથી કર્યા હતા અને મેસેજ આપવા પ્રયાસ કર્યો હતો કે BJP ST મતદારો સાથે જ છે

તો એ બાદ BJPના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષ પહેલા ગુજરાત પ્રવાસે આવ્યા ત્યારે એસસી અને એસટી મતદારો ને BJP સાથે જોડવા અને પાર્ટીની વિચારધારા આ સમુદાય સુધી પહોંચાડવા સૂચના આપી હતી એ બાદ કેવડિયા ખાતે પણ એસટી મોરચા ની બેઠક યોજી જેમાં પણ આજ સૂચનાઓ આપી હતી.

તો એસટી પ્રભાવિત વિસ્તાર કે જેમાં બીજેપી વર્ષોથી મહેનત કરે છે તેમ છતાં નથી જીતી શક્તિ એટલે કોંગ્રેસના એસટી ધારાસભ્યો અને નેતાઓને તોડી રહ્યા છે જેથી એસટી વિસ્તારમાં બીજેપીની પકડ વધારે મજબૂત કરી શકાય અને બીજેપી એ પણ જાણે છે કે જો 150 પલ્સ આઈટ જીતવી હશે તો SC અને ST મતદારો પ્રભાવિત વિસ્તારની સીટ પર વધારે મહેનત કરવી પડશે.

આ પણ વાંચો:બીજેપીએ ચિંતન શિબિરમાં અનેક મુદ્દે કર્યું મનોમંથન “આપ” ને રોકો અને અન્ય મુદ્દે મૌન રહો

આ પણ વાંચો:રાજ્યમાં AAPના લીધે ભાજપે બનાવી આ રણનીતિ,જાણો વિગત