Not Set/ વિરાટે અનુષ્કા સાથેની સગાઇની ખબરોને ખોટી ગણાવી, ટ્વીટ કરી શું કહ્યું જાણો

દેહરાદુનઃ ક્રિકેટર વિરાટ કોહલીએ અનુષ્કા શર્મા સાથેની પોતાની સગાઇની વાતને ખોટી અફવાહ ગણાવી હતી. પોતાની ગર્લફ્રેન્ડ સાથે છુટી મનાવી રહેલા વિરાટ કોહલીએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. છેલ્લા બે ત્રમ દિવસથી મીડિયામાં વિરાટ અને અનુષ્કાની સગાઇની ચર્ચા એ જોર પકડ્યું હતું. કે વિરાટ અનુષ્કા સાથે નવા વર્ષમાં સગાઇ કરવાનો છે. જે ખબરને વિરાટે […]

Sports

દેહરાદુનઃ ક્રિકેટર વિરાટ કોહલીએ અનુષ્કા શર્મા સાથેની પોતાની સગાઇની વાતને ખોટી અફવાહ ગણાવી હતી. પોતાની ગર્લફ્રેન્ડ સાથે છુટી મનાવી રહેલા વિરાટ કોહલીએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. છેલ્લા બે ત્રમ દિવસથી મીડિયામાં વિરાટ અને અનુષ્કાની સગાઇની ચર્ચા એ જોર પકડ્યું હતું. કે વિરાટ અનુષ્કા સાથે નવા વર્ષમાં સગાઇ કરવાનો છે. જે ખબરને વિરાટે પાયા વિહોણી ગણાવી હતી.

વિરાટ કહોલીએ મીડિયામાં ચાલી રહેલી આ ચર્ચાનો અંત લાવતા જણાવ્યું હતું કે, અમે લોકો સગાઇ નથી કરી રહ્યા. જો સગાઇ કરીશુ તો છુપાવીને નહી રાખીએ. વિરાટ અને અનુષ્કા રિષિકેશમાં છુટી મનાવી રહ્ય છે.

બીજા ટ્વીટમાં વિરાટે જણાવ્યું હતુ કે, અમુક ન્યુઝ ચેનલ ખોટા ન્યૂઝનું વેચાણ કરી રહ્યા છે. અને હું અંહી પ્રશંકોની ગેરસમજ દૂર કરવા  માંગુ છું.

ઇંગ્લન્ડ 4-0 થી પરાજય આપ્યા બાદ વિરાટ પોતાની ગર્લફ્રેન્ડ અનુષ્કા શર્મા સાથે દહેરાદુનમાં છે. તેની સગાઇની ખબરને એટલા માટે પુષ્ટી કરવામાં હતી કેમ કે, દેહરાદુનમાં બચ્ચન પરિવાર અને અંબાણી પરિવાર પણ હોંચ્યો હતો.