કેરળના રહેવાસી અબ્દુલ રહીમને સાઉદી અરેબિયામાં મૃત્યુદંડની સજા આપવામાં આવી છે. અબ્દુલ રહીમને બચાવવા માટે વિશ્વભરમાં વસતા કેરળવાસીઓએ ક્રાઉડફંડિંગ દ્વારા 34 કરોડ રૂપિયાની જરૂરી રકમ એકત્ર કરી છે. આ પૈસા છેલ્લા 18 વર્ષથી જેલમાં બંધ અબ્દુલ રહીમની મુક્તિ માટે બ્લડ મનીના રૂપમાં જમા કરાવવાના છે.
ફાંસીની સજા કેમ આપવામાં આવી?
2006 માં 15 વર્ષના એક છોકરાને અબ્દુલ રહીમની સંભાળ માટે છોડી દેવામાં આવ્યો હતો. આ છોકરો લાઇફ સપોર્ટ સિસ્ટમ પર હતો. જ્યારે તેનું મૃત્યુ થયું ત્યારે રહીમ તેને કારમાં લઈ જઈ રહ્યો હતો. આ કેસમાં વર્ષ 2018માં સાઉદીની એક કોર્ટે રહીમને મોતની સજા સંભળાવી હતી. સુપ્રીમ કોર્ટે પણ આ નિર્ણયને યથાવત રાખ્યો હતો. ગયા વર્ષે તેના પરિવારે કહ્યું હતું કે તેઓ તેની મુક્તિ માટે બ્લડ મની ચૂકવવા તૈયાર છે.
અબ્દુલ રહીમને ફાંસીની સજાથી બચાવવા માટે બ્લડ મની ચૂકવવાની છેલ્લી તારીખ 16 એપ્રિલ નક્કી કરવામાં આવી છે. રહીમનો પરિવાર પૈસા એકત્ર કરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યો હતો. પરંતુ શુક્રવાર એટલે કે 12મી એપ્રિલે જ કેરળના લોકોએ ક્રાઉડફંડિંગ દ્વારા આ પૈસા ભેગા કર્યા. તેમણે આ માટે એક એક્શન કમિટી બનાવી હતી અને પારદર્શિતા માટે ‘સેવ અબ્દુલ રહીમ’ નામની એપ પણ લોન્ચ કરી હતી.
જાણો કોણ છે અબ્દુલ રહીમ?
અબ્દુલ રહીમ 2006માં સાઉદી અરેબિયામાં પરિવાર માટે ડ્રાઇવર તરીકે કામ કરવા ગયો હતો. તે પરિવારે તેમના લકવાગ્રસ્ત પુત્રની સંભાળ સોંપી હતી. 15 વર્ષના છોકરાને શ્વાસ લેવા માટે લાઇફ સપોર્ટ સિસ્ટમની જરૂર હતી. 24 ડિસેમ્બર 2006ના રોજ રહીમ કાર ચલાવી રહ્યો હતો અને છોકરો પાછળની સીટ પર બેઠો હતો. આ દરમિયાન લાઈફ સપોર્ટ સિસ્ટમ બંધ થઈ જવાને કારણે છોકરાનું મૃત્યુ થયું હતું.
જ્યારે અબ્દુલ રહીમ સાઉદી અરેબિયા ગયો હતો ત્યારે તેમની ઉંમર માત્ર 26 વર્ષ હતી. પરંતુ, તેનું નસીબ એટલું ખરાબ હતું કે તે સાઉદી પહોંચ્યાના 28 દિવસ બાદ જ આ ઘટના બની હતી. ત્યારથી તે જેલમાં હતો અને બાદમાં તેને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. પરંતુ હવે કેરળના લોકોના પ્રયાસો બાદ તે ફરી એકવાર મુક્ત હવામાં શ્વાસ લઈ શકશે અને તેના પરિવારને મળી શકશે.
In the face of relentless hate campaigns targeting Kerala, the indomitable spirit of Malayalis shines through, upholding together Kerala’s resilience and compassion.
Abdul Rahim’s story, a Keralite facing execution in Saudi Arabia, symbolizes this resistance. With 34 crore… pic.twitter.com/59g16tQ6oJ
— Pinarayi Vijayan (@pinarayivijayan) April 12, 2024
કેરળના મુખ્યમંત્રીએ શું કહ્યું?
કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને પોતે જ નાણાં એકત્ર થયાની માહિતી આપી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે વિશ્વભરના કેરળવાસીઓએ અબ્દુલ રહીમની મુક્તિ માટે 34 કરોડ રૂપિયા એકઠા કર્યા છે. એક જીવ બચાવવા માટે, એક પરિવારના આંસુ લૂછવા માટે કેરળના લોકોએ મહાન ઉદાહરણ રજૂ કર્યું છે. આ દર્શાવે છે કે કેરળ ભાઈચારાનો ગઢ છે, જેને સાંપ્રદાયિકતા નુકસાન પહોંચાડી શકે નહીં.
આ પણ વાંચો:ઈમરાન મસૂદના નિવેદનને લઈ ચૂંટણી પંચ પહોંચ્યું ભાજપ કાર્યાલય
આ પણ વાંચો:EVM પર વીડિયો બનાવવો ભારે પડ્યો! 2 ક્રિયેટર્સને નોટિસ મળી
આ પણ વાંચો: દર દસમા દર્દીએ પ્રિસ્કીપ્શનમાં ગંભીર ખામીઓ, લોકોની સુરક્ષા સાથે થઈ રહ્યાં છે ચેડાં: અભ્યાસ