bollydoow/ અભિનેતા ‘દેવ આનંદ’નું 73 વર્ષ જૂનું ઘર વેચાયુ, જાણો કેટલામાં ડીલ થઈ…

મુંબઈના જુહુમાં આવેલ અભિનેતાનું ઘર તેના દીકરાઓએ વેચી દીધું છે.

Trending Entertainment
Mantavyanews 52 અભિનેતા 'દેવ આનંદ'નું 73 વર્ષ જૂનું ઘર વેચાયુ, જાણો કેટલામાં ડીલ થઈ...

બોલિવૂડના દિવંગત અભિનેતા દેવ આનંદના પરિચયની જરૂર નથી. અભિનેતાએ 60ના દાયકામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઘણી હિટ ફિલ્મો આપી હતી. દેવ આનંદના લુકની વાત કરીએ તો તેઓ એટલા હેન્ડસમ હતો કે કોર્ટે તેના કાળા કોટ પર પ્રતિબંધ મૂકવો પડ્યો. એક સમય હતો જ્યારે છોકરીઓ તેની એક ઝલક મેળવવા માટે આત્મહત્યા કરી લેતી હતી. હવે દેવ આનંદ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુંબઈના જુહુમાં આવેલ અભિનેતાનું ઘર તેના દીકરાઓએ વેચી દીધું છે. આ સમાચાર સામે આવતા જ લોકોના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે કેમ?

દેવ આનંદે પોતાના કરિયરની શરૂઆતના દિવસોમાં ઘણો સંઘર્ષ કર્યો હતો, પરંતુ બાદમાં તેમણે મુંબઈના જુહુમાં ઘર ખરીદ્યું હતું. અભિનેતાએ તેમના જીવનના 40 વર્ષ આ ઘરમાં વિતાવ્યા હતા. હવે મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે દેવ આનંદના દીકરાઓએ આ ઘર વેચી દીધું છે. દેવ આનંદની પત્નીનું નામ કલ્પના કાર્તિક છે અને તેમના બે બાળકોના નામ સુનીલ આનંદ અને દેવીના આનંદ છે.

ડિલ કેટલામાં ?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દેવ આનંદનો બંગલો રિયલ એસ્ટેટને અંદાજે 400 કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યું છે. હાલ આ ડીલને લગતી પેપરવર્ક ચાલી રહી છે. માહિતી અનુસાર, જણાવવામાં આવ્યું છે કે આ ઘરને 22 માળની બિલ્ડિંગમાં ફેરવવામાં આવશે.

આ ઘર કેમ રહ્યા છે?

એક ઈન્ટરવ્યુ દરમિયાન દેવ આનંદની પત્નીએ આ આલીશાન ઘર વિશે જણાવ્યું કે,’આ ઘર અમે 1950માં બનાવ્યું હતું. ત્યારે જુહુ એક ગામ જેવું હતું અને આસપાસ બધું જંગલ જેવું હતું. જણાવી દઈએ કે દેવાનંદનો પુત્ર સુનીલ આનંદ યુએસમાં રહે છે અને તેની પુત્રી દેવીના તેની માતા સાથે ઉટીમાં રહે છે. આવી સ્થિતિમાં આ ઘરની સંભાળ રાખનાર કોઈ નથી. આ કારણે બાળકોએ તેને વેચવાનું યોગ્ય માન્યું હતું.

આ પણ વાંચો: Canada/ કેનેડાની સરકાર ખાલિસ્તાનીઓના સમર્થનમાં!, કેનેડામાં પંજાબીઓની સંખ્યા સૌથી વધુ 

આ પણ વાંચો: ધોધમાર વરસાદની આગાહી/ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ વિસ્તારમાં થઈ શકે છે મેઘમહેર

આ પણ વાંચો: Women Reservation Bill/ ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ બિલ પાસ થયા બાદ શું-શું બદલાશે?