IND vs SA/ શા માટે કાર્તિક પહેલા અક્ષર પટેલને બેટિંગ આપવામાં આવી? સામે આવ્યું કારણ

પ્રોટીઝ ટીમે કટકમાં રમાયેલી બીજી T20 મેચમાં યજમાન ભારતને 4 વિકેટે હરાવીને 5 મેચની સિરિઝમાં 2-0થી સરસાઈ મેળવી લીધી છે. બીજી ટી20માં ભારતીય બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા…

Trending Sports
ભારતીય ક્રિકેટ ટીમ

ભારતીય ક્રિકેટ ટીમ: ભારતીય ક્રિકેટ ટીમ પ્રવાસી દક્ષિણ આફ્રિકા (IND vs SA T20) સામે 5 મેચની T20 સિરિઝ હારી જવાના આરે ઉભી છે. પ્રોટીઝ ટીમે કટકમાં રમાયેલી બીજી T20 મેચમાં યજમાન ભારતને 4 વિકેટે હરાવીને 5 મેચની સિરિઝમાં 2-0થી સરસાઈ મેળવી લીધી છે. બીજી ટી20માં ભારતીય બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા. આ મેચમાં જ્યારે અક્ષર પટેલને દિનેશ કાર્તિક પહેલા બેટિંગ માટે મોકલવામાં આવ્યો ત્યારે બધાએ તેના પર સવાલો ઉઠાવ્યા હતા. જો કે મેચ બાદ ટીમ ઈન્ડિયાના બેટ્સમેન શ્રેયસ અય્યરે આનું કારણ જણાવ્યું હતું.

શ્રેયસ અય્યરે બીજી T20 મેચમાં 35 બોલમાં 40 રન બનાવ્યા જેમાં 2 ફોર અને 2 સિક્સ સામેલ હતી. ટીમ ઈન્ડિયાના મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસે અક્ષર પટેલને દિનેશ કાર્તિક પહેલા મોકલવાના નિર્ણયનો બચાવ કર્યો છે. બેટ્સમેન શ્રેયસે કહ્યું કે આ નિર્ણય સંજોગોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. મેચ બાદ શ્રેયસે પત્રકારોને કહ્યું, ‘અમે અગાઉ પણ આવી રણનીતિ અપનાવી હતી. જ્યારે અક્ષર ક્રિઝ પર આવ્યો ત્યારે અમારી પાસે સાત ઓવર બાકી હતી. તે એક-બે રન લઈને સ્ટ્રાઈક રોટેટ કરી શકે છે.

આ વ્યૂહરચના ભારતીય ટીમ માટે કામ આવી ન હતી. અક્ષર રન બનાવવા માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. 17મી ઓવરમાં તેના આઉટ થવાથી ભારતનો સ્કોર 6 વિકેટે 112 થઈ ગયો હતો. સાતમા નંબરે બેટિંગ કરવા આવેલા કાર્તિકના અણનમ 30 રનની મદદથી ભારતને 6 વિકેટે 148 રન સુધી પહોંચાડવામાં મદદ મળી હતી. શ્રેયસે કહ્યું, આ પછી કોઈને ક્રિઝ પર આવીને પ્રથમ બોલથી ફટકારવાની જરૂર નહોતી. કાર્તિક તે કરી શકે છે, પરંતુ તે 15 ઓવર પછી અમારા માટે વધુ ફાયદાકારક રહ્યો છે, જ્યાં તે ક્રીઝ પર આવતાની સાથે જ લાંબા શોટ રમી શકે છે.

શ્રેયસે આગળ કહ્યું, શરૂઆતમાં પણ કાર્તિકને રન બનાવવાનું થોડું મુશ્કેલ લાગ્યું. આ મેચમાં વિકેટે મોટી ભૂમિકા ભજવી હતી. જ્યાં સુધી આ વ્યૂહરચનાનો સંબંધ છે, અમે તેને આગળ વધારીશું. જો તમે મેચ પર નજર નાખીએ તો મને લાગે છે કે આ વિકેટ પર 160 રન થોડું દબાણ લાવવા માટે ખરેખર સારા હતા, પરંતુ અમે તેનાથી 12 રન ઓછા હતા જો કાર્તિક પહેલા મોકલવામાં આવ્યો હોત તો ભારત 160થી વધુ રન બનાવી શક્યું હોત. સિરિઝની ત્રીજી T20 મેચ 14 જૂને વિશાખાપટ્ટનમમાં રમાશે.

આ પણ વાંચો: Money laundering Case / કોર્ટે સત્યેન્દ્ર જૈનને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા