Madhya Pradesh : મધ્યપ્રદેશમાં આ દિવસોમાં લોકસભા ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે ત્યારે બીજી તરફ રાજ્યમાં ‘ભૂતોનો મેળો’ શરૂ થઈ ગયો છે. ‘ભૂતો’નો આ મેળો મહાકાલની નગરી ઉજ્જૈનમાં યોજાય છે. દુષ્ટ આત્માથી મુક્તિ મેળવવા માટે ઉજ્જૈનના બાવન કુંડમાં યોજાયેલા આ ‘ભૂત મેળા’માં દૂર-દૂરથી લાખો ભક્તો આવ્યા છે. આ ‘ભૂત મેળા’ના પ્રથમ દિવસે આવેલા લાખો શ્રદ્ધાળુઓએ ક્ષિપ્રા નદીમાં આસ્થાપૂર્વક ડૂબકી લગાવી હતી. આ મેળા વિશે એવું માનવામાં આવે છે કે મેળા દરમિયાન બાવન કુંડમાં ડૂબકી લગાવવાથી દુષ્ટ આત્માઓથી મુક્તિ મળે છે.
उज्जैन कुम्भ 2016 के दौरान भक्तों के इन जत्थों को करीब से देखा था,, बावन कुंड पर जो अनुभव हुये थे आज तक याद हैं ,,कण कण में आस्था #HolyIndia #Ujjain #52kund
*भूतड़ी अमावस्या पर श्रद्धालुओं की भारी भीड़:* बुरी आत्माओं से छुटकारा पाने के लिए लगाई डुबकी https://t.co/tpPX4sVXsp
— Namrata Nagar (@travelernamrata) April 8, 2024
માન્યતા મુજબ, દર વર્ષે ભૂતડી અમાસ નિમિત્તે ઉજ્જૈનથી 14 કિલોમીટર દૂર કાલિયાદેહ પેલેસમાં આ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વખતે સોમવારે ભૂતડી અમાસ છે. એવું માનવામાં આવે છે કે ભૂતડી અમાસના દિવસે કાલિયાદેહ પેલેસમાં બાવન કુંડમાં ડૂબકી લગાવવાથી દુષ્ટ આત્માઓથી મુક્તિ મળે છે. આ કારણે સોમવારે સવારથી જ લોકો અહીં આવવા લાગ્યા હતા. જેને જોતા વહીવટીતંત્ર અને પોલીસે પણ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે.
આ પણ વાંચો:હનુમાન જયંતી પર બજરંગબલીના 10 મંત્રનો જાપ કરો
આ પણ વાંચો:ભૂતડી અમાસના દિવસે સૂર્યગ્રહણ, કઈ રાશિના લોકો પર થશે અસર
આ પણ વાંચો: રવિવારના દિવસે ભગવાન સૂર્યની આ રીતે પૂજા કરો અને દરેક ક્ષેત્રમાં સફળતા મેળવો