Uttarpradesh News : લગ્નના ચાર દિવસ બાદ સાસરીમાંથી પિયરમાં આવેલી એક પરિણીતાનું અચાનક મોત નીપજ્યું હતું. તેનો મૃતદેહ બાથરૂમમાંથી મળતા પરિવારો ચોંકી ઉઠ્યા હતા. પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. રિપોર્ટમાં ફેફસામાં પાણી ભરાઈ જવાથી મોત થયું હોવાનું પ્રાથમિક રીતે જણાયું છે. પોલીસ હવે વિસેરા રિપોર્ટની રાહ જોઈ રહી છે. આ બનાવ ઉત્તરપ્રદેશના ઝાંસીનો છે.
પરિણીતાના પરિવારજનોનું કહેવું છે કે તેમની દિકરી બાથરૂમમાં ગઈ હતી અને પાણી ભરેલા ડ્રમમાં પડેલી મળી આવી હતી. તાત્કાલિક તેને સારવાર અર્થે મેડિકલ કોલેજ લઈ જવાઈ હતી જ્યાં તેને મૃત ઘો,ત કરાઈ હતી. મૃત પરિણીતાનું નામ મમતા કુશવાહા છે અને તેની ઉંમર 23 વર્ષની હતી. તેના પતિનું નામ સુરેન્દ્ર કુશવાહા છે. મમતાનું પિયર મધ્યપ્રદેશના નિવાડી જીલ્લામાં છે. જ્યારે સાસરી ઝાંસીમાં બરૂઆસાગર ના ધસરપુરા ગામમાં આવેલું છે.
પરિણીતાના પરિવારજનોના જણાવ્યા મુજબ 23 એપ્રિલે મમતાના લગ્ન થયા હતા. 24 એપ્રિલે તેની વિદાય કરવામાં આવી હતી. 25 એપ્રિલે જાણવા મળ્યું હતું કે તે ખાવાનું ઓછુ ખાઈ રહી છે. જેને કારણે તેની તાંત્રિક વિધી કરવામાં આવી હતી. 27 એપ્રિલે તે બાથરૂમ ગઈ હતી. ઘણીવાર સુધી તે પરત બહાર ન આવતા પરિવારે તપાસ કરતા તે પાણીના ડ્રમમાં પડેલી હતી. તેને હોસ્પિટલ લઈ જવાઈ હતી પણ તેને મૃત ઘો,ત કરાઈ હતી. જોકે તેનું મોત કેવી રીતે થયું તે રહસ્ય ખૂલ્યું નથી.
પોલીસનું કહેવું છે કે બરૂઆ થાણા વિસ્તારમાં લગ્ન બાદ પરિણીતા પિયરમાં આવી હતી જ્યાં તેનું શંકાસ્પદ મોત થયું હતું. આ અંગે પોલીસ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:2976 અશ્લીલ વીડિયો ધરાવતી પેનડ્રાઈવ શોધવાના દાવાથી ખળભળાટ
આ પણ વાંચો:મધ્યપ્રદેશમાં ‘સુરતવાળી થઈ’, કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ નામાંકન પાછું ખેચી ભાજપમાં જોડાયા
આ પણ વાંચો:અનામત અને અમિત શાહ, દિલ્હીમાં નોંધાઈ FIR
આ પણ વાંચો:સંદેશખાલીના જમીન કૌભાંડમાં CBI તપાસ સામેની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી