આપઘાત/ સાબરકાંઠામાં ગળેફાંસો ખાઈ મહિલાએ ટૂંકાવ્યું જીવન, પોલીસે હાથ ધરી તપાસ

સાબરકાંઠાના વિજયનગર પંચવટી ગામે એક મહિલાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જો કે, મહિલાએ કયા કારણોસર આત્મહત્યા કરી તે સ્પષ્ટ થઈ શક્યું નથી

Gujarat Others
ગળેફાંસો
  • સાબરકાંઠામાં મહિલાએ કર્યો આપઘાત
  • મહિલાએ ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત
  • વિજયનગરના પંચવટી ગામની ઘટના
  • અગમ્યકારણોસર મહિલાએ કર્યો આપઘાત

સાબરકાંઠામાં મહિલાએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. કોઈ અગમ્યકારણોસર મહિલાએ આપઘાત કર્યો છે.આ ઘટના વિજયનગરના પંચવટી ગામની છે.બનાવ બનતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર,સાબરકાંઠાના વિજયનગર પંચવટી ગામે એક મહિલાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જો કે, મહિલાએ કયા કારણોસર આત્મહત્યા કરી તે સ્પષ્ટ થઈ શક્યું નથી પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે મહિલાએ અગમ્ય કારણોસર ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. પરિવારજનોએ મહિલાને તાત્કાલિક સારવાર અર્થે ચોરીવાડ PHC સેન્ટર ખસેડી હતી પરંતુ ચોરીવાડ PHC માં તબીબો દ્વારા મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી.

ઘટનાને પગલે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી. મૃતક મહિલાનું પેનલ ડોક્ટરો દ્વારા પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મહિલા મધ્યપ્રદેશની રહેવાસી હતી અને દોઢ વર્ષ અગાઉ પંચવટી ગામે પટેલ સમાજમાં તેના લગ્ન થયા હતા.

આ પણ વાંચો :ભિલોડાના ધારાસભ્ય અનિલ જોષીયારા કોરોના સામે હાર્યા જંગ, ચેન્નાઇમાં લીધા અંતિમ શ્વાસ

આ પણ વાંચો :વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં ચણાની ખરીદીને લઈ મચ્યો હોબાળો, આંતરિક વિખવાદને કારણે ખેડૂતો હેરાન

આ પણ વાંચો :વિધાનસભા ગૃહમાં ઉછળ્યો સિંહના મોતનો મુદ્દો, છેલ્લા 2 વર્ષમાં થયા આટલા મોત

આ પણ વાંચો :  PGVCL સામે ખેડૂતોનો વિરોધ, વીજળીની માંગ સાથે કર્યા સૂત્રોચ્ચાર