જકાર્તા,
સુનામી અને ભૂકંપની ચપેટમાં આવી ગયેલા ઇન્ડોનેશિયામાં હાલ પરિસ્થિતિ ખુબ વિકટ હોવા મળી રહી છે. ૭.૫ તીવ્રતાના ભૂકંપ બાદ આવેલા સુનામીના કારણે મૃત્યુઆંક વધીને ૧૨૩૪ સુધી પહોંચી ગયો છે. માનવામાં આવી રહ્યું છે કે, આ આંકડો હજી સુધી આગળ વધી શકે છે.
https://twitter.com/RenzoAg93/status/1047042272657846272
સુલાવેસી દ્વીપ પર ૨૮ સપ્ટેમ્બરના રોજ આવેલા ભૂકંપ બાદ આવેલા સુનામીએ કહેર મચાવ્યો હતો અને ૩,૫૦,૦૦૦ લોકોની વસ્તીવાળા તટીય શહેર પાલુના ઘરોને ખુબ નુકશાન પહોચાડ્યું હતું.
![ઇન્ડોનેશિયામાં સુનામીના કારણે સામે આવ્યું તબાહીનું મંજર, મોતનો આંકડો પહોચ્યો ૧૨૦૦ને પાર 2 GK1BlNLA ઇન્ડોનેશિયામાં સુનામીના કારણે સામે આવ્યું તબાહીનું મંજર, મોતનો આંકડો પહોચ્યો ૧૨૦૦ને પાર](https://api.mantavyanews.in/wp-content/uploads/2018/10/GK1BlNLA.jpg)
રાહત અને બચાવ કાર્યમાં લાગેલી એજન્સી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પાલુ શહેરમાં સૌથી વધુ નુકશાન પહોચ્યું છે. બે દિવસ પહેલા જ ૧.૫ મીટર ઉંચા મોજાઓ ઉછળતા હતા અને પાણી દ્વીપની અંદર સુધી ધસી આવ્યું હતું.
![ઇન્ડોનેશિયામાં સુનામીના કારણે સામે આવ્યું તબાહીનું મંજર, મોતનો આંકડો પહોચ્યો ૧૨૦૦ને પાર 3 DofYUdBWsAAQChN ઇન્ડોનેશિયામાં સુનામીના કારણે સામે આવ્યું તબાહીનું મંજર, મોતનો આંકડો પહોચ્યો ૧૨૦૦ને પાર](https://api.mantavyanews.in/wp-content/uploads/2018/10/DofYUdBWsAAQChN.jpg)
જો કે આ દરમિયાન પાલુના ઉત્તરમાં સ્થિત ડોંગ્ગાલા ક્ષેત્રમાં ૧૧ લોકોના માર્યા ગયા હોવાની સુચના મળી રહી છે.
![ઇન્ડોનેશિયામાં સુનામીના કારણે સામે આવ્યું તબાહીનું મંજર, મોતનો આંકડો પહોચ્યો ૧૨૦૦ને પાર 4 DofYFeXWwAU316O ઇન્ડોનેશિયામાં સુનામીના કારણે સામે આવ્યું તબાહીનું મંજર, મોતનો આંકડો પહોચ્યો ૧૨૦૦ને પાર](https://api.mantavyanews.in/wp-content/uploads/2018/10/DofYFeXWwAU316O.jpg)
ઇન્ડોનેશિયાની સરકારી ન્યુઝ એજન્સી અંતારાના જણાવ્યા મુજબ, “આ વિનાશક ભૂકંપ અને સુનામીના કારણે ૫૪૦ લોકો ખુબ જ ગંભીર રીતે ઘાયલ થયા છે.
![ઇન્ડોનેશિયામાં સુનામીના કારણે સામે આવ્યું તબાહીનું મંજર, મોતનો આંકડો પહોચ્યો ૧૨૦૦ને પાર 5 DofXz4MXkAANGTw ઇન્ડોનેશિયામાં સુનામીના કારણે સામે આવ્યું તબાહીનું મંજર, મોતનો આંકડો પહોચ્યો ૧૨૦૦ને પાર](https://api.mantavyanews.in/wp-content/uploads/2018/10/DofXz4MXkAANGTw.jpg)
હોસ્પિટલોમા પણ મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવેલા ઘાયલોની સારવાર માટે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
![ઇન્ડોનેશિયામાં સુનામીના કારણે સામે આવ્યું તબાહીનું મંજર, મોતનો આંકડો પહોચ્યો ૧૨૦૦ને પાર 6 DoP8b8VUwAAvYpZ ઇન્ડોનેશિયામાં સુનામીના કારણે સામે આવ્યું તબાહીનું મંજર, મોતનો આંકડો પહોચ્યો ૧૨૦૦ને પાર](https://api.mantavyanews.in/wp-content/uploads/2018/10/DoP8b8VUwAAvYpZ.jpg)
અમેરિકાની ભૂગર્ભ સર્વેમાં જણાવ્યા અનુસાર, શુક્રવારે ઇન્ડોનેશિયાના મધ્ય સુલાવેસીના ડોંગ્ગાલા વિસ્તારમાં આવેલા ભૂકંપની તીવ્રતા ૭.૫ હતી.
![ઇન્ડોનેશિયામાં સુનામીના કારણે સામે આવ્યું તબાહીનું મંજર, મોતનો આંકડો પહોચ્યો ૧૨૦૦ને પાર 7 ઇન્ડોનેશિયામાં સુનામીના કારણે સામે આવ્યું તબાહીનું મંજર, મોતનો આંકડો પહોચ્યો ૧૨૦૦ને પાર](https://api.mantavyanews.in/wp-content/uploads/2018/10/DoPnSrhXsAY5xF1.jpg)
બીજી બાજુ પ્રશાસન દ્વારા ભૂકંપ અને સુનામીમાં માર્યા ગયેલા સેકડો લોકોને સામુહિક રીતે દફન કરવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે.