ટીવી પરની લોકપ્રિય સીરીયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈના નૈતિક એટલે કે એક્ટર કરણ મેહરાની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. કરણ વિરુદ્ધ તેની પત્ની નિશા રાવલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. કરણમેહરા અને નિશા રાવલના લગ્નજીવનમાં થોડા સમયથી સમસ્યા ચાલતી હતી. વિવાદ વધ્યા બાદ નિશાએ કરણ વિરુદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી.
મુંબઈ પોલીસના સૂત્રોના જણાવ્યાનુસાર નિશા રાવલે કરણ વિરુદ્ધ સોમવાર અને 31 મેની રાત્રે ગોરેગાંવ વિસ્તારમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. નિશાએ ફરિયાદમાં જણાવ્યું છે કે કરણે તેની સાથે મારપીટ કરી છે. આ બાદ કરણની પોલીસે ધરપકડ કરી છે.
કરણ મેહરા અને નિશા રાવલનના લગ્નને 9 વર્ષ થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી તેમની વચ્ચે વિવાદ ચાલતો હોવાનું સામે આવ્યું છે. જો કે અગાઉ આ મામલે નિશા રાવલે કરણસાથે કોઈ સમસ્યા ન હોવાનું જણાવ્યું હતું. પરંતુ હવે આ મામલે પોલીસ ફરિયાદ સુધી પહોંચી ગયો છે.