@દિનેશ મકવાણા, મંતવ્ય ન્યૂઝ, ભરૂચ
ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામમાં માધવપુરા વિસ્તારમાં રહેતા ૫ યુવાનો જુનાપોરા ગામ પાસેની નર્મદા નદીમાં માછલી પકડવા તા.૧૦મી ઓકટોબરના રોજ ગયા હતા અને નર્મદા નદીમાં ઉતરી માછલી પકડી રહ્યા હતા આ ૫ યુવાનો પૈકીના રાજપારડી ગામના માધવપુરા વિસ્તારમાં રહેતા દિનેશભાઇ ડાહ્યાભાઈ વસાવા ઉ.વ.૩૫ ઉપર નર્મદા નદીમાં અચાનક પાછળથી એક મગરે આવી હુમલો કરી ખેંચી ગયો હતો દિનેશભાઇએ બુમાબુમ કરતા સાથેના યુવાનોએ દિનેશભાઇને મગરની પકડમાંથી બચાવવાના ભારે પ્રયાસો કર્યા હતા.
પરંતુ મગરની પકડમાંથી યુવાન નહિ છુટતા મગર યુવાનને ખેંચી ઉંડાણ વારા વિસ્તારમાં લઇજતા યુવક લાપત્તા બન્યો હતો. બાદમાં રાજપારડી પોલીસ,વનવિભાગ,ફાયર બ્રિગેડ,નાવડીવારા,ગામલોકોએ જુનાપોરા ગામે નર્મદા નદીમાં ૨ દિવસ ભારે શોધખોળ હાથધરી હતી. પરંતુ બીજા દિવસે રાત સુધી લાપત્તા યુવાનનો કોઇ પત્તો લાગ્યો ન હતો. ત્યારબાદ ત્રીજા દિવસે ઝઘડીયાના લીમોદ્રા ગામની સીમમાં નર્મદા નદીના કિનારે લાપત્તા બનેલા યુવાનની લાશ બે ભાગોમાં મળી આવીછે.
જુનાપોરા ગામે મગરના હુમલામાં ભોગ બનનારો યુવાન લાપત્તા થયો હોવાની વિગતો રાજપારડી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી જ્યારે નર્મદા નદીના વહેણમાં તણાયને લાશ લીમોદ્રા ગામની સીમમાં નર્મદા નદીના કિનારે મળતા લાશ મળવાની વિગતો ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામીછે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.