નવી દિલ્હીઃ પાકિસ્તાની સૈનાએ અજાણતા તેમની સરહદમાં ઘુસેલા ભારતીય જવાન ચંદુ બાબૂલાલ ચવ્હાણને છોડી દીધો છે. જવાન બાબૂલાલ ચવ્હાણ 29 સપ્ટેમ્બરે રસ્તો ભૂલી જતા સરહદ પાર કરી ગયો હતો. ત્યારે પાકિસ્તાની સૈનાએ તેને પકડી લીધો હતો.
બાબૂલાલ ચવ્હાણ આજે બપોર 2.30 વાગ્યે વાઘા બોર્ડર પર સ્વદેશ પરત ફર્યો હતો. જ્યાં તેની પૂછપરછ કર્યા બાદ તેની તપાસ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેની વિશેષ મેડિકલ તપાસ પણ કરવામાં આવી. ભારત અને પાકિસ્તાન સેન્ય સંચાલનના મહાનર્દેશનૉ વચ્ચે હૉટલાઇન પર વાતચિત થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.