અમદાવાદમાં કોરોના વાયરસે કાળો કહેર મચાવ્યો છે માત્ર અમદાવાદમાં જ કોરોના નો આંકડો ૧૦૦૦૦ને પાર કરી ચુક્યો છે. ત્યારે મોટી સંખ્યામાં આરોગ્ય કર્મીઓ, પોલીસકર્મીઓ, મિડીયાકર્મીઓ સરકારી કર્મચારીઓ પન્કોરોનાનો શિકાર બની રહ્યા છે. ત્યારે અમદાવાદ માટે વધુ એક માઠા સમાચાર આવી રહ્યા છે.
અમદાવાદના શાહીબાગ ખાતે આવેલા સરકારી ગોડાઉનના દાળ વિભાગના મેનેજર સહિત 6 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. પખવાડિયા પહેલ સીટી ગોડાઉનના મેનેજર અને એક મજુરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તો આજે ગોડાઉનના મુખ્ય કોન્ટ્રાકટર અને ગેટકીપર સહિત 6 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
6 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અને તંત્ર દ્વારા સેનિટાઈઝ અને દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. જો કે તમામ કર્મચારીઓની તબીબી ચકાસણી કરવામાં આવે તો કોરોનાના સંક્રમિત કેસોની સંખ્યામાં વધારો થાય તેવી ભીતી સેવાઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.