બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે રવિવારે મુંબઇના સ્થિત તેમના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. 34 વર્ષના સુશાંતની આત્મહત્યાના સમાચાર સાંભળીને આખો દેશ ચોંકી ગયો છે. દરેકની આંખો નમ થઇ ગઈ છે. સમાચાર પણ આવી રહ્યા છે કે સુશાંતે ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરી છે. તે માનસિક સ્વાસ્થ્ય સાથે સંઘર્ષ કરી રહ્યા હતા. જો કે, આ અંગે હજી સુધી કોઈ પુષ્ટિ મળી નથી. પોલીસ તપાસ કરી રહી છે.
અભિનેતાનું નામ થોડા સમયથી રિયા ચક્રવર્તી સાથે સંકળાયેલું હતું. એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે રિયા છેલ્લા કેટલાક દિવસોથી તેમની સાથે રહેતી હતી. અને શનિવારે રાત્રે તે પણ તેની સાથે જ હતી, પરંતુ સુશાંતે તેને તેના ઘરે જવા કહ્યું હતું. કોણ જાણતું હતું કે બીજા દિવસે સવારે સુશાંત આવું પગલું ભરશે. રિયા ચક્રવર્તીના ઇન્સ્ટાગ્રામ પર સુશાંતની આત્મહત્યા સંબંધિત કોઈ પોસ્ટ પણ દેખાઈ નથી.
થોડા કલાકો પહેલા તેઓ સેટ પર જવાનું ખુબ જ મિસ કરી રહ્યા હતા. આપને જણાવી દઈએ કે સુશાંતને 11 માર્ચે લાસ્ટ ટાઈમ પબ્લિકમાં સ્પોટ કરાયો હતો જ્યાં તેને કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સાથે મુંબઇની જિમની બહાર જોવામાં આવ્યા હતા. સુશાંત અને રિયા એક સાથે વર્કઆઉટ પર જતા હતા. તેમના રિલેશનશિપના ઘણા બધા સમાચારો આવ્યા હતા, પરંતુ બંનેએ હંમેશા એકબીજાને સારા મિત્રો તરીકે વર્ણવ્યા છે.
આપને જણાવી દઇએ કે પટનાથી પરિવારના કેટલાક સભ્યો તેના અંતિમ સંસ્કાર માટે મુંબઇ પહોંચ્યા છે. હજી સુધી તેના પિતાના આવાના સમાચાર નથી. સમાચાર છે કે સુશાંતના પિતા પણ ટૂંક સમયમાં મુંબઇ પહોંચશે. જો કે, અન્ય અહેવાલોનું માનવામાં આવે તો તેમના પિતા અંતિમ સંસ્કાર માટે નહિ અવી શકે.
સુશાંતની આત્મહત્યાના સમાચાર પિતા કે.કે. સિંહ સહન કરી શક્યા નથી. તેમના પુત્રના મૃત્યુના સમાચાર પછી, કે.કે. સિંહ એટલા હચમચી ગયા છે કે આ સમાચાર સાંભળતાની સાથે જ તેઓ બેહોશ થઈ ગયા. તેમની તબિયત પણ ખરાબ થઇ ગઈ છે અને તે કોઈની સાથે વાત કરવાની સ્થિતિમાં નથી હોવાના પણ અહેવાલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.