કોરોનાનાં કારણે લોકો ઘણા ડરી ગયા છે. આ ખતરનાક રોગનાં ચેપને રોકવા માટે દેશભરમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે. લોકો ઘરોમાં રહેવા મજબૂર બન્યા છે, ત્યારે મંગળવારે મોડી રાત્રે બિહારનાં અનેક જિલ્લાઓમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા.
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.3 મપાઇ હતી, જ્યારે ભૂકંપનું કેન્દ્ર બિહારની સરહદ આવેલા નેપાળનાં દોલખા જિલ્લામાં હતું. નેપાળમાં આવેલા આ ભૂકંપને કારણે બિહારનાં ઘણા જિલ્લાઓમાં કંપન અનુભવાયો હતો. ભૂકંપનાં આંચકા રાત્રે 11.53 નાં અંતરે આવ્યા, ત્યારબાદ લોકોએ તેમના ઘરની બહાર આવવાનું શરૂ કર્યું.
An earthquake of ML 5.3 occurred around Jugu of Dolakha district at 23:53 (local time): National Seismological Center, Nepal.
— ANI (@ANI) May 13, 2020
આ ભૂકંપનાં આંચકા નેપાળને અડીને આવેલા ઉત્તર બિહારનાં સરહદી વિસ્તારોમાં અનુભવાયા હતા. તેની અસરો મુઝફ્ફરપુરમાં અનુભવાઈ હતી. મુઝફ્ફરપુર ઉપરાંત મધુબની, દરભંગા, સીતામઢી, મોતીહારી અને સમસ્તીપુર સહિત ઉત્તર બિહારનાં અનેક જિલ્લાઓમાં પણ આંચકા અનુભવાયા હતા. જો કે આ ભૂકંપમાં કોઈ જાન-માલ ગુમાવવાનાં સમાચાર નથી. આપને જણાવી દઈએ કે છેલ્લા એક મહિનામાં ચોથી વાર દેશનાં વિવિધ વિસ્તારોમાં ભૂકંપનાં આંચકા આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.