ગુજરાત રાજ્યમાં દિન પ્રતિદિન કોરોના વાયસરના કેસમાં વધારો થઇ રહ્યો છે. તો સાથે સાથે કોરોનાથી થતા મોતના આંકમાં પણ વધારો થઇ રહ્યો છે. આવામાં બનાસકાંઠા, કચ્છ અને અરવલ્લીમાં કોરોના દર્દીના મોતથી હડકંપ મચી જવા પામ્યો છે.
બનાસકાંઠા
બનાસકાંઠામાં વધુ એક કોરોના પોઝિટીવ દર્દીનું મોત નીપજ્યું છે. જીલ્લાના ડીસામાં કોરોનાથી મહિલાનું મોત થતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. આ મહિલાની પાલનપુર સિવિલમાં કોરોનાની સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું. આ સાથે જિલ્લામાં કોરોનાનો મૃત્યુ આંક 17 પહોંચ્યો છે. જ્યારે પોઝિટિવ આંક 381 પર પહોંચ્યો છે.
કચ્છ
કચ્છમાં પણ કોરોનાના કારણે વધુ એકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. કચ્છમાં નલિયાના 85 વર્ષીય વૃધ્ધાનું કોરોનાથી મોત થયું છે.ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
અરવલ્લી
અરવલ્લીમાં કોરોનાથી બે દર્દીના મોત થયા છે.મોડાસાના કસ્બા વિસ્તારના 67 વર્ષીય મહિલાનું મોત થયું છે તો મડાસણાકંપામાં 52 વર્ષીય પુરૂષનું મોત કોરોનાના લીધે થયું છે. આ સાથે જિલ્લામાં કોરોનાથી કુલ 27 લોકોના મોત નીપજ્ય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.