ડાયમંડ સીટી સુરતની ચમક હાલતો કોરોનાનાં કારણે ઝાંખી પડી રહી છે અને રોજ રોજ અધધધ કોરોનાનાં કેસ સામે આવી રહ્યા છે. કોરોનાનાં કહેર વચ્ચે પણ સુરતમાં આજથી હીરા બજારો શરૂ કરી દેવામાં આવી રહી છે. હીરા બજારમાં ટ્રેડિંગ શરૂ થશે, જો કે, હીરા બજાર માટે ગાઇડલાઇન જાહેર કરાઇ છે અને તમામ વેપારી સહિતનાં લોકોએ આ માર્ગદર્શીકાનુ પાલન કરવાનુ રહેશે.
જી હા, હીરા બજારનાં તમામ વેપારી સહિતનાં લોકોએ સરકારની ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરવું પડશે. જો 10 થી વધુ નવા કોરોના પોઝિટિવના કેસ સામે આવશે તો, ફરી હીરા બજાર બંધ કરી દેવામાં આવશે. સાથે સાથે હીરા બજાર બપોરે 2 થી 6 વાગ્યા સુધી જ ખોલી શકાશે. કોરોનાનું સંક્રમણ અટકાવવા શપથવિધિ અને રાષ્ટ્રગાન પણ ફરજિયાત બનાવવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….