ગીર-સોમનાથ જીલ્લામાં કોરોનાનો કેસ તો લાંભા સમય પહેલા નોંધવામાં આવ્યો હતો., પહેલો કેસ નોંધવામાં આવ્યા બાદ લાંબા સમય સુધી કોઇ નવો કેસ સામે આવ્યો ન હોતો પરિણામે તંત્ર માટે રાહ હતી. પરંતુ પાછલા થોડા દિવસોથી તંત્રની ઉંધ ઉડી ગઇ હોવાનું સામે આવી રહ્યું છે. જીલ્લાનાં વિવિધ ગામોમાંથી નવા નવા કેસ સામે આવતા સર્વત્ર હડકંપ જોવામાં આવી રહ્યો છે.
જો આજે સામે આવેલા નવા 4 કેસની વાત કરવામાં આવે તો, ગીર-સોમનાથ જીલ્લાનાં તાલાલા તાલુકાના હડમતીયામાં એક જ પરિવારના 3 સભ્યો કોરોના પોઝિટિવ નોધવામાં આવ્યા છે. સાથે સાથે ઉનાના નવાબંદરમાં આવેલ પોઝિટિવ કેસની સાથે ટ્રાવેલ કરેલ સીમર ગામના વ્યક્તિને પણ કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું નોંધવામાં આવે છે.
ગીર સોમનાથ જિલ્લા માં આજે વધુ 4 કેસ સામે આવતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 22 પર પહોંચી છે અને ઉલ્લેખનીય છે કે, તમામ 22 કેસમાં લોકો આયાતી છે, જેઓ બહાર ગામથી આવ્યા છે. લોકોની મુંબઇ અમદાવાદ સુરત ની ટ્રાવેલ હિસ્ટ્રી હોવાનું સામે આવે છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન.