ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે ત્યારે જાહેર જીવન સાથે સંકળાયેલા નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. આવામાં વધુ એક ધારાસભ્ય કોરોનાની ચપેટમાં આવી ગયા છે. પેટલાદના ધારાસભ્ય અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન નિરંજન પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. .
આપને જણાવી દઈએ કે આ પહેલા 8 જેટલા ધારાસભ્યો સહિત પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી પણ કોરોનાગ્રસ્ત બન્યા હતા. જેમાં હાલ ભરતસિંહ અને કાંતિભાઈ ખરાડી સારવાર હેઠળ છે. બાકીના કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થઈ ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.