પોરબંદરમાં કોરોનાએ ફૂફાડો માર્યો છે. અહીં એક જ દિવસમાં 8 કેસ પોઝિટીવ આવ્યા છે. અહીંની ભાવસિંહજી હોસ્પિટલ દ્વારા 56 શંકાસ્પદ કેસના સેમ્પલ લઈને જામનગર પરીક્ષણ માટે મોકલ્યા હતા જેમાંથી 8 ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. કોરોના પોઝિટીવ આવેલા તમામ જવાનોને સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં લઇ જવાયા હતા.
જણાવીએ કે તેઓ પોરબંદરના નહીં હોવાથી અને પોરબંદરમાં કોઇને મળ્યા પણ નહીં હોવાથી કોરોનાનું સંક્રમણ થાય તેવી કોઇ જ શકયતા જણાઇ નથી તેથી લોકોને પણ ભય નહીં રાખવા અપીલ થઇ છે.
તમામ કોસ્ટગાર્ડના જવાન છે અને મુંબઈથી આવ્યા હતા પોરબંદરમાં એક જ દિવસે આઠ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય દોડધામ મચી છે અત્રે ઉલેલ્ખનીય છે કે આ અગાઉ પણ એક કોસ્ટગાર્ડના જવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.