@આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્ઝયૂ, અમદાવાદ
દેશમાં સતત કોરોનાનો હાહકાર મચાવ્યો છે. કોરોને કારણે સતત લોકોના જીવન પર પણ અસર થઈ છે. ત્યારે અમદાવાદ એક દર્દીએ 120 દિવસ બાદ કોરોનાને માત આપી કોરોના સામેની જંગ જીતી લીધી છે.
- કોરોનાની લીધી લાંબી સારવાર
- ડૉક્ટરોની મહેનત લાવી રંગ
120 દિવસ બાદ 67 વર્ષના વૃદ્ધએ કોરોના સામેની જંગ જીતી લીધી છે. કિશોરસિંહ જાડેજાએ કોરોનાથી સંક્રમણ થયા હતા. કિશોરસિંહ જાડેજાને જ્યારે કોરોના પોઝિટિવ આવ્યા ત્યારે તેમના શરીરમાં કોઈ પણ પ્રકારના રોગ ન હતા. પરતું કોરોનાના સંક્રમણ તેમના શરીરને ડેમેજ કરતું ગયું.
કિશોરસિંહનો કોરોનાનો રિપોર્ટ નેગિટવ આવ્યા બાદ પણ તેમના ફેફસામાં ફાઇબ્રોસિસ થયેલ. જેથી દર્દીને હોસ્પિટલમાં સિનિયર પલ્મોનોલોજિસ્ટ ડો. અજય શાહ ની સારવાર હેઠળ દાખલ કરેલ હતા. ત્યારબાદ દર્દીને ફેફસા ઉપરાંત શરીરના અન્ય અવયવોમાં જેવાકે, મગજ અને કિડની માં પણ ઇન્ફેકશન જોવા મળ્યા. આની સાથે ફેફસામાં પણ પંચર પડેલ જેના કારણે શરીર ફૂલી ગયું હતું.
આ દર્દીએ તદ્દન હકારાત્મક વલણ બતાવી દર્દીએ ડોક્ટર પર સંપૂર્ણ વિશ્વાસ અને ધીરજ રાખી હતી. જેના કારણે આજે દર્દી 120 દિવસ બાદ સંપૂર્ણ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યાં.