Not Set/ રાજય માં છેલ્લા ૨૪ કલાકમાં ૧૭ કેસો નોંધાયા

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલમાં રસીકરણ ચાલી રહ્યું છે. જો કે રાજ્યમાં વેપારી એકમો, વાણિજ્યિક સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓ જેના કર્મચારીઓ માટે કોરોના વેકસીનેશન ફરજિયાત બનાવવામાં આવી છે.

Gujarat Others
Untitled 227 રાજય માં છેલ્લા ૨૪ કલાકમાં ૧૭ કેસો નોંધાયા

રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર ધીમે ધીમે ઘટી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં માત્ર 17 નવા કોરોના કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો  8,24,773પર પહોંચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ   પણ વ્યક્તિનું  મોત થયું નથી. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 14છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,15,008  છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 186 છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલમાં રસીકરણ ચાલી રહ્યું છે. જો કે રાજ્યમાં વેપારી એકમો, વાણિજ્યિક સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓ જેના કર્મચારીઓ માટે કોરોના વેકસીનેશન ફરજિયાત બનાવવામાં આવી છે. જો રસીકરણ  ની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 15 કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 4678 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 7,26,92 નાગરિકોને રસીનો પ્રથમ અને 5,29,71 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. .