ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા ટેલિકોમ કંપનીઓને લગભગ 35 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. વાસ્તવમાં, ટેલિકોમ કંપની Jio, Airtel અને Vodafone Idea જેવી કંપનીઓને છેતરપિંડી કૉલ્સ અને સંદેશાઓ રોકવા માટે સૂચના આપવામાં આવી હતી. પરંતુ આ કંપનીઓ આ કામમાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. જેના કારણે આ તમામ કંપનીઓને ટ્રાઈ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે.
શા માટે દંડ
વાસ્તવમાં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી એટલે કે ટ્રાઈએ ગયા મહિને તમામ ટેલિકોમ કંપનીઓને નકલી કૉલ્સ અને સંદેશાઓથી છૂટકારો મેળવવા માટે એકીકૃત ડિજિટલ પ્લેટફોર્મ બનાવવાનો નિર્દેશ આપ્યો હતો, જેથી ગ્રાહકોને નકલી કૉલ્સ અને સંદેશાઓથી મુક્તિ મળી શકે. પરંતુ આ કંપનીઓ આ કાર્યમાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે.
સરકારે શું જવાબ આપ્યો
કેન્દ્રીય ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં જવાબ આપ્યો કે ટેલિકોમ ઓપરેટરો વતી નિયમોનું ઉલ્લંઘન કરીને નકલી કોલ અને મેસેજનું કનેક્શન કાપી નાખ્યું છે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2021માં ટેલિકોમ ઓપરેટરો દ્વારા 15,382 મોબાઈલ કનેક્શન ડિસ્કનેક્ટ કરવામાં આવ્યા છે. જ્યારે વર્ષ 2022માં 32,032 મોબાઈલ કનેક્શન કાપવાની કામગીરી કરવામાં આવી છે. તેમજ નકલી કોલ અને મેસેજને રોકવામાં નિષ્ફળ રહેવા બદલ 34.99 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
બે મહિનાનો સમય મળ્યો
જો એક સર્વે રિપોર્ટનું માનીએ તો છેલ્લા કેટલાક વર્ષોમાં ફેક મેસેજ અને કોલની સંખ્યામાં વધારો નોંધાયો છે. આને રોકવા માટે, ટ્રાઈએ તાજેતરમાં ટેલિકોમ પ્રોવાઈડર્સને પ્રમોશનલ કૉલ્સ અને સંદેશાઓ માટે ગ્રાહકોની સંમતિ મેળવવા માટે ડિજિટલ પ્લેટફોર્મ વિકસાવવા માટે બે મહિનાનો સમય આપ્યો હતો.
આ પણ વાંચો:Smartphone Tips and Tricks/સ્માર્ટફોનને ક્યારે અને કેટલી વાર રીસ્ટાર્ટ કરવો જોઈએ, iOS અને Android માટે આ છે મર્યાદા
આ પણ વાંચો:New Feature/વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામનું આ ઉપયોગી ફીચર ટેલિગ્રામમાં પણ આવ્યું, કામ થશે સરળ
આ પણ વાંચો:Tech News/દુનિયાની અડધાથી વધુ વસ્તી સોશિયલ મીડિયામાં વ્યસ્ત, જાણો ભારતના લોકો કેટલો સમય બગાડે છે?