જાપાનમાં 24 કલાકમાં બીજી વખત ભૂકંપ ઝટકો અનુભવાયો હતો.ફુકુશીમામાં સતત બીજા દિવસે પણ ધરતી ધ્રુજી ઉઠી હતી.જેના પગલે સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ જોવા મળી હતી. ભૂકંપની તીવ્રતા 5.2 હોવાનું ભૂસ્તરશાસ્ત્રીઓ એ જણાવ્યું છે.એક કલાક પહેલાફુકુશીમામાં શનિવારે રાત્રે પણ 7.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમાં 140 લોકો ઘાયલ થયા હતા.
Election / અમદાવાદમાં જો કોંગ્રેસ સત્તા પર આવશે તો મળશે ફ્રી વાઇફાઇ તેમજ 50,000 રોજગારી, મેનિફેસ્ટો જાહેર
જાપાનના ફુકુશીમા ક્ષેત્રમાં રવિવારે સતત બીજા દિવસે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હવામાન એજન્સી અનુસાર ભૂકંપની તીવ્રતા 5.2 હતી. એજન્સીએ જણાવ્યું હતું કે બપોરે લગભગ 4.15 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 50 કિ.મી. અંદર હતું. ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી નથી.
Accident / વિશ્વના કુલ વાહનોમાંથી માત્ર 1 જ ટકો ભારતમાં, પરંતુ અકસ્માતોમાં ઘાયલ થયેલા લોકોના 10 ટકા
ફુકુશીમામાં શનિવારે રાત્રે પણ 7.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમાં 140 લોકો ઘાયલ થયા હતા. તેના આંચકા ટોક્યો સુધી અનુભવાયા હતા. મુખ્ય કેબિનેટ સચિવ કાત્સુનોબુ કાતોએ કહ્યું કે શક્તિશાળી ભૂકંપને કારણે દેશના 9.50 લાખ ઘરોનો વીજ પુરવઠો બંધ થઈ ગયો છે. ભૂકંપ બાદ જાપાન સરકારના વડાપ્રધાન કાર્યાલય દ્વારા એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. વડાપ્રધાન યોશિહિદે સુગાએ અધિકારીઓને નુકસાન અંગે ટૂંક સમયમાં સર્વે કરવા જણાવ્યું છે.
Election / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપની ફોજ તૈયાર, સી.આર.પાટીલે હોદ્દેદારો અને અગ્રણીઓની યાદી કરી જાહેર
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…