Gujarat/ રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 555 કેસ નોધાયા

24 કલાકમાં રાજ્યમાં એક દર્દીનુ કોરોનાના લીધે મોત થવા પામ્યું
રાજ્યમાં કુલ કેસનો આંકડો 2.73.941 પહોચ્યો

Ahmedabad Gujarat
corona imaje રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 555 કેસ નોધાયા

રાજ્યમાં રોજ કોરોનના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 555 નવા કેસ નોધાવવા પામ્યા છે. જ્યારે એક દર્દીનુ સારવાર દરમ્યાનમોત નીપજવા પામ્યું છે. રાજ્યમાં કોરોના કેસનો આંક 2,73,941 પર પહોચવા પામ્યો છે.

રાજ્યમાં થોડાક સમય બાદ ફરી કોરોનાના કેસમાં વધારો થવા પામ્યો છે.જેમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 555 નવા કેસ નોધાવવા પામ્યા છે. અને એક દર્દીનુ મોત નીપજવા પામ્યું છે. તેમજ 24 કલાકમાં 482 દર્દીઓએ કોરોના સામે જંગ જીતી સાજા થતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ રાજ્યમાં કુલ 3212 એક્ટિવ કેસ નોધાવવા પામ્યા છે. હાલમાં સરકાર દ્વારા વેક્સિનેસ શરૂ કરવામાં આવ્યું છે જેથી કોરોનાના કેસોમાં નોધપત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમજ કોરોના સંક્રમીત દર્દીઓને વેકસીન આપવામાં આવી રહી છે. રાજ્યમાં કોરોના કેસનો આંકડો 2,73,941 પહોચવા પામ્યો છે.