- ભાવનગર: વલ્લભીપુરના મેવાસામાં 6ના મોત
- ટ્રક પલટી ખાઇ જતા 6 લોકોના મોત
- મૃત્યુ આંક વધવાની શકયતાઓ
- 12થી વધુ લોકો ગંભીર રૂપે ઘાયલ
ગુજરાત રાજ્યમાં સતત માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવામાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ભાવનગરના વલભીપુર તાલુકાના મેવાસા ગામ પાસે ટ્રક પલટી મારી જતાં અકસ્માત સર્જાયો છે.આ અકસ્માતમાં છ લોકોના કરુણ મોત નીપજ્યા છે. હાલ 108 સહિત પોલસની ટીમે બચાવ અને રાહતની કામગીરી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, શહેરના વલભીપુરના મેવાસા ગામ પાસે ઘાસચારો ભરેલો ટ્રક અચાનક પલટી મારી ગયો હતો. આ ટ્રક નીચે 12થી 14 લોકો દટાયા હતા. આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ તાબડતોબ 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અને બચાવ અને રાહતની કામગીરી હાથ ધરી હતી. ત્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા આવ્યો છે. ત્યારે આકસ્માતની ઘટનાને લઈ આસપાસના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
આ પણ વાંચો:લાંચ લેતા ઝડપાયેલા અધિકારીનો આપઘાત, ઓફિસની બિલ્ડિંગ પરથી લગાવી મોતની છલાંગ
આ પણ વાંચો:સુરતમાં પહેલા માળેથી બાળક પટકાતા મોત, પરિવારમાં ગમગીની
આ પણ વાંચો:અમદાવાદ રિવર ફ્રન્ટ ખાતે આવતીકાલે યોજાનાર વિરાંજલિ કાર્યક્મ મોકૂફ,નવી તારીખ કરી જાહેર,જાણો
આ પણ વાંચો:રાજકોટમાં બાઇક પર જતી મહિલાની સાડીનો છેડો કૂતરાએ ખેંચ્યો અને મળ્યું મોત
આ પણ વાંચો:ડિજિટલ ગુજરાત માટે સરકારની ગૂગલ સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ