હાલમાં જ બીગ બી અમિતાભ બચ્ચનના માત્ર એક દિવસમાં ૨ લાખ જેટલા ફોલોઅર્સ ઘટી ગયા છે જેને લઈને અમિતાભ બચ્ચને ટ્વીટરને કવિતા લખી પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ૨ ટ્વીટ કર્યા છે જેમાં એક ટ્વીટમાં તેઓ ટ્વીટરને ફરિયાદ કરતા હોય તેવું લાગે છે કે અને કહ્યું કે ટ્વીટર આટલો જુલમ પણ ન કરો મારા પર.
अरे Twitter भाई साहेब , या बहनजी ( पता नहीं ना इनका gender क्या है , इस लिए दोनों को संभोधित किया ), हम कुछ छाप रहे हैं , और आप उसको छपने ही नहीं दे रहे हैं ! अमाँ , 200,000 follower एक ही दिन में काट दिया आपने .. अब इसे तो मत काटो यार !! अब इतना भी ज़ुल्म न करो
અને બીજી કવિતામાં પણ ટ્વીટર પર ફરિયાદ કરી છે. જેમાં ચકલીનું સંબોધન કર્યું છે. ચકલી પર લખેલી આ કવિતામાં તેમના ચાહકોએ વળતા પ્રત્યુત્તરમાં એવું લખ્યું છે કે આ કવિતામાં કવિ બીગ બીએ લલિત મોદી, નીરવ મોદી અને વિજય માલ્યાને સંબોધીને લખી છે.
चिड़िया ओ चिया कहाँ है तेरा घर ? उड़ उड़ आती हो यहाँ पे फ़ुर्र फ़ुर्र , दर्शनर्थी इतने तेरे , क्या है तेरा डर , रूठोगी तो बोलो हम फिर जाएँगे किस दर । आशीर्वाद सदा तुम्हारा बना रहे हमपर बस, नित्य नवेली पुष्प हमारे, बरसेंगे तुमपर !!
હકીકતમાં આ ફેન માત્ર એક દિવસમાં કેમ આટલા બધા ઘટી ગયા તે કદાચ બીગ બી ને નહી ખબર હોય પરંતુ તમને એનું સાચું કારણ બતાવી દઈએ કે ટ્વીટર પર ફોલોઅર્સ પૈસા આપીને વધારવાનો ધંધો ચાલી રહ્યો છે. હા, આ તદ્દન સાચી વાત છે જો તમારે ૫૦૦૦ ફોલોઅર્સ વધારવા હોય તો તેના માટે ૫૦૦ રૂપિયા આપીને તમે વધારી શકો છો. આવી રીતે ફોલોઅર્સ વધારવા માટે આઈટીના નિષ્ણાંતો કામ કરે છે.
સેલિબ્રિટી જયારે તેના એકાઉન્ટમાં ફેન વધારવા માટેના પૈસા આપે છે ત્યારે તે વધી તો જાય છે પરંતુ તેમને એ નહિ ખબર હોય કે આ ફેન માત્ર ટેમ્પરરી જ વધે છે. ૧૦ દિવસ બાદ પાછા ફોલોઅર્સમાં ફોલ ડાઉન આવે છે.
આપણે જોતા હોઈએ છીએ ટ્વીટર પર અમુક મોટી સેલિબ્રીટીના ફેન મિલિયનમાં હોય છે પરંતુ આ બધા પૈસા આપીને ખરીદેલા ફેન્સ હોય છે તેઓ કઈ રીયલ ફેન હોતા નથી. પૈસા આપીને ફોલોઅર્સ બનવાનું એ અત્યારે ધગધગતો ધંધો બની ગયો છે.