અમદાવાદ
અમદાવાદમાં એક યુવકે ફાયરિંગ કરીને આત્મહત્યા કરતાં ચકચાર મચી જવા છે. આ યુવક એસજી રોડ પર આવેલા કર્ણાવતી કલબ પાછળ સ્પ્રિંગવિલા નામના બંગ્લોઝમાં લમણે ગોળી મારીને આત્માહત્યા કરી હતી.
મળતી માહિતી મુજબ 66 વર્ષના જીતેન્દ્રભાઇ પટેલ ઉર્ફે રાજાભાઇ બીડીવાળાએ પોતાના લમણે ગોળી મારીને આત્મહત્યા કરી હતી. ફાયરિંગ કરીને આત્મહત્યા કરતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. ત્યાર બાદ પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.
તમને જણાવી દઈએ કે, છેલ્લા ઘણા સમયથી જીતેન્દ્રભાઇ ડિપ્રેશનમાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારેજાણવું મુશ્કેલ છે કે, ક્યાં કારણોસર આત્માહત્યા કરી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.