વડોદરા શહેરના કમાટીબાગના પ્રાણી સંગ્રહાલયમાં 3 રખડતા કુતરાઓએ 6 કાળિયાર હરણને ફાડી ખાધા હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ મ્યુનિસિપલ કમિશ્નર સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા. આ મામલે તપાસ હાથ ધરી હતી.
મળતી વિગતો મુજબ, વહેલી સવારે ચારથી પાંચ વાગ્યા આસપાસ આ ઘટના બની હતી. કુતરાઓના હુમલામાં બે હરણ ઈજાગ્રસ્ત થયા હતા. જણાવી દઈએ કે, પિંજરામાં કુલ 11 હરણ હતા. જેમાંથી ફક્ત 3 હરણનો બચાવ થયો છે. હરણના પિંજરામાં કુતરાઓ કઈ રીતે ઘુસ્યા એ તપાસનો વિષય છે.