રાજકોટ,
રાજકોટમાં 6 વર્ષથી વસતાં 200થી વધારે પાકિસ્તાની હિંદુ પરિવારોને ભારતીય નાગરિકતા મળતાં તેમણે કેક કાપી ઉજવણી કરી હતી. બંધારણીય નિયમો મુજબ કોઈ પણ વિદેશી નાગરિકને ભારતમાં 7 વર્ષ વસવાટ બાદ નાગરિકત્વ મળતું હોય છે. પરંતુ કેન્દ્ર સરકારે આ પાકિસ્તાની પરિવારોને 6 વર્ષમાં જ નાગરિકતા આપતાં ખુશીનો માહોલ ફેલાયો છે. મંતવ્ય ચેનલના માધ્યમથી તેમણે જણાવ્યું કે ભારતીય નાગરિકતા જો તેમને મળે તો તેમને ઘણા સરકારી લાભ મળશે.